ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે વણઝારા અને અમીનને ડિસ્ચાર્જ કર્યા

ઇશરત જહાં કેસમાં CBI કોર્ટે પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે. સીબીઆઈ જજ જે.કે. પંડ્યાએ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. કોર્ટે એન.કે અમીન અને ડી.જી વણઝારાની અરજી મંજૂર રાખતા […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીના 55 વર્ષીય ભાભીનું નિધન, હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પીએમ મોદીના ભાભીનું નામ ભગવતીબેન મોદી છે અને તેઓ પ્રહલાદ મોદીના પત્ની છે. આજ રોજ 55 વર્ષીય ભગવતીબેન મોદીને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું છે. આ વિશે પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ભગવતીબેન મોદી બિમાર નહોતા, પરંતુ આજરોજ સવારે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો […]

Continue Reading

રાજ્યમાં હવે ક્યારેય રાત નહીં પડે, 24 કલાક ધમધમતી રહેશે બજારો

રાજ્ય સરકારે ચૂંટણી પત્યા બાદ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યમાં 24 કલાક દુકાનો, મોલ્સ અને બજારો ખુલ્લી રાખી શકાશે, અગાઉ રાતના 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રખાતી હતી, ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા અમલવારીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યના મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો […]

Continue Reading

‘સત્ય પરેશાન થઇ શકે છે, પરાજીત નહીં, ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું’

સાધ્વી દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને સુરતની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, તો તેને મદદ કરનારા તેના સાધક અને સાધવીને 10-10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટના ચૂકાદા બાદ દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેણીએ જણાવ્યું કે કોર્ટના ચૂકાદાથી તે ખુશ છે. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું કે ફરિયાદ કરી […]

Continue Reading

સુરત સેશન્સ કોર્ટમાં આજે નારાયણ સાંઈને સજાનો હુકમ, 10થી આજીવન કેદની શક્યતા

સાધિકા બળાત્કાર કેસમાં આજે મંગળવારના રોજ સંભવત: નારાયણ સામે સજાનો હુકમ થઈ શકે છે. ગત શુક્વારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા. કાયદાના જાણકારો કહે છે કે, આ કેસમા જે કલમ લગાવવામાં આવી છે તે અંતર્ગત નારાણનને દસથી આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે. જહાંગીરપુરા […]

Continue Reading

વડોદરાઃ પોલીસે રિવોલ્વોર મુકીને કુકડે કૂક બોલાવ્યું

મ.સ. યુનિવર્સિટીની બદનામ પઠાણ ગેંગ બપોરે 2:30 વાગ્યા આસપાસ આર્ટ્સ ફેકલ્ટી અને સાંજે 5:30 પછી હોસ્ટેલ પાસે અડિંગો જમાવી છોકરીઓની છેડતી કરતી હોવાની રજૂઆત બાદ વીપી સલોની મિશ્રાને ગેંગ દ્વારા એસિડ એટેકની ધમકી આપી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેને પગલે પોલીસ દ્વારા ગેંગના પહેલી હરોળના ઝુબેર પઠાણ સહિત 8 જણની ધરપકડ કરવામાં […]

Continue Reading

ગુજરાતમાં જુલાઇ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: નીતિન પટેલ

રાજ્યના ૬ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવાં રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. હોવાનું જણાવતાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઉનાળા દરમ્યાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે. રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે. […]

Continue Reading

અંગ દઝાડતી ગરમીએ ૫ દિવસમાં ૧૫ જણાને મૂર્છીત કર્યાં

ગાંધીનગર પંથકમાં અંગ દઝાડતી ગરમીએ ૫ દિવસમાં ૧૫ જણાને મૂર્છીત કરી દેતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત તા. ૨૧થી ૨૫ એપ્રિલ સુધીમાં ૭૦થી વધુ લોકોનું આરોગ્ય કાળઝાળ ગરમીના કારણે જોખમાયુ હતું. તેમાં ઝાડા-ઉલ્ટી, બ્લડ પ્રેશરમાં વધ-ઘટ, હાર્ટ ઉપર માઠી અસર ઉપરાંત માથે ગરમી ચઢી જતાં માનસિક સમતુલાને અસર થવાના […]

Continue Reading

૨૬થી ૨૮ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઑરેન્જ અલર્ટ

ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન હવામાન વિભાગ […]

Continue Reading

અમદાવાદ: ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર ૪ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કિડની પર ગંભીર અસર થતાં તેને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ આઠેક માસ અગાઉ તેને કૉલેજમાં એટીકેટી […]

Continue Reading