અમદાવાદમાં NRI સાથે પોલીસે કરેલા બેહુદા વર્તન ને પગલે અમેરિકામાં જબરદસ્ત આક્રોશ: PM મોદીને ફરિયાદ કરાશે

અમેરિકાથી અમદાવાદ આવેલા ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના […]

Continue Reading

મારૂતિ પણ 27 વર્ષ પહેલા સરકારી કંપની હતી; છેલ્લા 16 વર્ષમાં શેરે 5600 ટકા રિટર્ન આપ્યું

કેબિનેટે બુધવારે BPCL સહિત 5 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવાની મંજૂરી આપી છે. આ પ્રથમ વાર નથી કે જ્યારે સરકારે કોઈ મોટી કંપનીમાં વિનિવેશનો નિર્ણય લીધો હોય. આ પહેલા મારૂતિ અને હિન્દુસ્તાન જિંક જેવી કંપનીઓના પણ મોટા ઉદાહરણ છે. આ બંને કંપનીઓ ખાનગીકરણ બાદ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. મારૂતિના શેરે 2003માં લિસ્ટિંગ બાદ છેલ્લા […]

Continue Reading

દિલ્હી ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવાની મંજૂરી

દિલ્હી ગેરકાયદેસર કોલોનીઓમાં રહેતા ચાલીસ લાખ દિલ્હીવાસીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની ગેરકાયદેસર વસાહતો (Delhi unauthorised colonies)ને કાયદેસર કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી ઉપરાજ્યપાલે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટ્વિટ મુજબ વડાપ્રધાન અનઓથોરાઇઝડ કોલોનીઝ ઇન દિલ્હી આવાસ અધિકાર યોજના (PM-unauthorized Colonies in Delhi Awas Adhikar […]

Continue Reading

ભારતને જાન્યુઆરી સુધી મળી શકે છે પહેલા ‘ચીફ ઓફ ડિફેન્સ’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેતૃત્વવાળી સમિતિ આગામી ત્રણ અઠવાડિયામાં દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટે નિયમાવલીને અંતિમ રુપ આપશે. જે થકી સરકારને જાન્યુઆરી સુધી એકીકૃત સેન્ય સલાહકાર મળવાનો રસ્તો મોકળો થશે. સૈન્ય સલાહકારની ભલામણ 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ કરી હતી.  સેનાના સત્તાવાર સૂત્રો મુજબ આર્મી, નૌકાદળ અને વાયુસેના પેહલાથી જ આ નવા પદ […]

Continue Reading

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર 150 ભારતીયો પરત ધકેલાયા

અમેરિકાએ વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા આશરે 150 જેટલા ભારતીય નાગરિકોને વિશેષ વિમાન મારફતે ભારત પરત મોકલી આપ્યા છે. અમેરિકામાં વધુ સારી જિંદગી વિતાવવાના તૂટેલા સ્વપ્ન સાથે આશરે 150 જેટલા ભારતીયો 20 નવેમ્બરના રોજ સ્વદેશ પરત ફર્યા છે અને તેમણે પોતાની બચતની રકમમાંથી ઘણાં બધા રૂપિયા પણ ગુમાવી દીધા છે. […]

Continue Reading

દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો

સરકારના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સની રેડમાં જપ્ત રકમમાં 2000ની નોટોનો હિસ્સો ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. નાણાંકીય વર્ષ(2018-19)માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 […]

Continue Reading

વસતિ ગણતરી 2021, ગુજરાતમાં મે 2020થી પ્રારંભ, પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ કરાશે

વર્ષ 2021માં દેશમાં યોજાનારી વસતિ ગણતરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. વસતિ ગણતરી 2021 વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી છે. ગજરાતમાં આ વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં હાથ ધરાશે. આ વસતિ ગણતરીમાં […]

Continue Reading

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- નવો કાયદો બનાવો, કેરળ સરકારે કહ્યું- સંશોધન ચાલુ, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. બુધવારે પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચએ આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ […]

Continue Reading

ટાટા સ્ટીલ ખર્ચ ઘટાડવા યુરોપમાં ત્રણ હજાર કર્મચારીઓને પાણીચુ આપશે

ટાટા સ્ટીલ પોતાના યુરોપિયન ઓપરેશનમાં 3000 નોકરીઓ ઘટાડવાનું વિચારી રહી છે. નબળી માગ અને ઉંચી પડતરનો સામનો કરી રહેલી સ્ટીલ કંપનીએ આ માહિતી આપી હતી. ભારતની સ્ટીલની જાયન્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે 3000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેમાં 75 ટકા કર્મચારીઓ ઓફિસમાં વ્હાઇટ કોલર ભૂમિકા ભજવી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું […]

Continue Reading

બેન્ક ફ્રોડ મામલે મોદી સરકારે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી

નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમના મુજબ સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યાર બેન્કો દ્વારા સૌથી […]

Continue Reading