ચીન છોડી રહેલી વિદેશી કંપનીઓને ભારત લાવવા માટે કેન્દ્ર તૈયારી કરી રહ્યું છે: સીતારમન

નાણા મંત્રાલય આંતરરાષ્ટ્રીય કંપનીઓને, ખાસ કરીને ચીનમાં રહેલી કંપનીઓ ભારતમાં રોકાણ કરાવવા માટે મહત્વનું માળખુ તૈયાર કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, ઉદ્યોગ જગતના દિગ્ગજો જે પોતાના વ્યવસાય ચીનની બહાર લઇ જવા ઇચ્છે છે અને ચોક્કસપણ ભારત તેમની પહેલી પસંદ છે એવા ઉદ્યોગો માટે સરકાર માળખુ તૈયાર કરી રહી છે. […]

Continue Reading

સુપ્રસિદ્ધ બેબી પાવડર જોનસન એન્ડ જોનસનમાં કેન્સરકારક એસ્બેસ્ટસ મળી આવ્યું

બેબી પાવડર માટે સુપ્રસિદ્ધ કંપની જોનસન એન્ડ જોનસને પાવડરમાં કેન્સરકારક એસ્બેસ્ટસ હોવાના પૂરાવા મળ્યા છે. જે પછી કંપનીએ માર્કેટમાંથી મોટા પ્રમાણમાં વેચેલો માલ પાછો ખેંચ્યો છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં આ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાવડરમાં કેન્સરકારક ઘટક હોવાના દાવાને મહિનાઓ સુધી નકાર્યા પછી કંપનીએ જણાવ્યું કે, અમેરિકન ફૂડ […]

Continue Reading

PMC કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી પાંચમાં ખાતાધારકનું મોત

પીએમસી બેન્કના કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી તેના પાંચમા ખાતાધારકનું મોત નીપજ્યું છે. આ સિવાય બેન્કમાં કૌભાંડના કારણે RBIએ લાદેલા પ્રતિબંધોના વિરોધમાં દક્ષિણ મુંબઇમાં સ્થિત RBIના હેડઓફિસ સામે પીડિત ગ્રાહકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન એક વૃદ્ધ મહિલા અને પુરુષની તબિયત લથડી હતી. પીએમસી બેન્ક કૌભાંડના પીડિતો બેન્કમાં જમા તેમના પૂંજીને પાછી આપવા માટે માંગ […]

Continue Reading

ઉત્તરાખંડમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

રાજ્યમાં ગુટખા અને પાન મસાલા મામલે ઉત્તરાખંડની સરકારે મહત્વનો નિર્ણય લેતા તેની પર પ્રતિબંધ લાદ્યો છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદ્યો છે. ઉત્તરાખંડના ખાદ્ય સુરક્ષા અધિકારી નિતેશ કુમાર ઝા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા […]

Continue Reading

પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કળા અન સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ આવાસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને […]

Continue Reading

વિદેશમંત્રીનો દાવો- મનમોહન કરતારપુર આવવા પર સહમત; અતિથિ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આવશે

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરતારપુર આવવાની સહમતિ આપી દીધી છે. કુરેશીએ શનિવારે કહ્યું કે મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહી ચૂક્યા છે કે મનમોહન સિંહ કોરિડોરના […]

Continue Reading

FATFથી વૉર્નિંગ મળ્યા બાદ બિપિન રાવતે બોલ્યા- હવે પાકિસ્તાન પર એક્શન લેવા દબાણ

ફાઈનાન્શિયલ એક્શન ટાર્ક ફોર્સની પાકિસ્તાનને આપવામાં આવેલ વોર્નિંગ બાદ ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે પોતાની પ્રતિક્રિયા આપી છે. જનરલ રાવતે કહ્યું કે સંસ્થા તરફથી આપવામાં આવેલ ચેતવણી બાદ હવે પાકિસ્તાન પર દબાણ છે કે તેઓ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. એફએટીએફે શુક્રવારે પાડોસી દેશ માટે ફેબ્રુઆરી 2020 સુધીની ડેડલાઈન નક્કી કરી છે. આટલા સમયમાં પાકિસ્તાને […]

Continue Reading

PM મોદીનાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અર્થવ્યવસ્થા બગાડનારા જેલમાં, આ તો શરૂઆત છે

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ, મુંબઈ હુમલા અને આર્ટિકલ 370ને લઇને કૉંગ્રેસ સહિત વિરોધી દળો પર જોરદાર હુમલો કર્યો. પૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમ તરફ ઇશારો કરતા પીએમે કહ્યું કે, “10 વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરનારાઓમાંથી ઘણા લોકો જેલમાં બંધ છે. આ તો હજુ સફાઈ અભિયાનની શરૂઆત છે. આગળ […]

Continue Reading

ઉઝબેકિસ્તાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવા માટે ઠેરઠેર બેનરો લાગ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના […]

Continue Reading

દિલ્હી: પોલીસ સ્ટેશનો પર ફિદાઇન હુમલાની ચેતવણી

ભારતની ગુપ્ત એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસની ચોકી પર ફિદાઇન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓની ચેતવણી મુજબ આતંકીઓ દિલ્હી પોલીસને નિશાનો બનાવી શકે છે. આ ચેતવણી પછી દિલ્હીમાં પોલીસ સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ દિલ્હીના 200 જેટલો પોલીસ સ્ટેશનોની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે અન્ય માટે […]

Continue Reading