વિપક્ષ લશ્કરનું સતત અપમાન કરે છે : એર સ્ટ્રાઈક મુદ્દે વડાપ્રધાન મોદીનો જવાબ

ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નિકટના ગણાતા ટેક્નોક્રેટ સામ પિત્રોડાના નિવેદનને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરમજનક ગણાવીને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા બદલ સમગ્ર પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે એર સ્ટ્રાઈક પર સવાલ કરતા જણાવ્યું હતું […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો અને ત્યાર બાદ ભારત દ્વારા કરવામાં આવેલી વળતી સૈન્ય કાર્યવાહીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ખુબ જ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ આ વાતની ટ્વિટર મારફતે જાહેરાત કરી હતી.

Continue Reading

ભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણી પહેલા ભાજપની ટીમમાં જોડાઈ ગયા છે. નાણાં મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં દિલ્હીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ રાજકારણમાં ઉતરી શકે છે. તેઓ ટ્વિટર પર હંમેશા અરવિંદ કેજરીવાલની ટીકા કરતા રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, તેમને દિલ્હી […]

Continue Reading

અમિત શાહના નામની ગાંધીનગર બેઠક માટે ઘોષણા સાથે ભાજપનું સેન્સ લેવાનું કામ નોનસેન્સ સાબિત થયું

ગત એકાદ અઠવાડિયાથી ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં ગુજરાતભરમાં ત્રણ દિવસો સુધી કાર્યકરો અને બાદમાં ત્રણ દિવસ પ્રદેશ નેતાઓ દ્વારા કઈ સીટ માટે કોણ ઉમેદવાર યોગ્ય છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી ભાજપા દ્વારા કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, પાર્ટીમાં ઉમેદવારોનું ચયન લોકશાહી પરંપરાથી થાય છે. જેમાં સેન્સ […]

Continue Reading

ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ?

ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા. પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે. રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે. ભાજપના સંગઠનને મજબૂત […]

Continue Reading

લોકસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ લડશે.

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી વખત ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બેઠકોના ઘટનાક્રમ બાદ આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં […]

Continue Reading

ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો

ઉત્તર પ્રદેશની લખીમપુર સદર સીટથી ભાજપ પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે હુમલો થયો. યોગેશ વર્મા જે સમયે પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા હતા ત્યારે તેમના પગ પર કોઈએ ગોળી મારી હતી. જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એસપી લખીમપુર પૂનમે જણાવ્યું કે વર્માના પગમાં ગોળી લાગી છે. હોસ્પિટલમાં તેમનો ઈલાજ […]

Continue Reading

ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પરપોસ્ટ કરતા વિચારજો, થઈ શકે સજા

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી કમિશન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી કે સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જો કોઈ પાર્ટી સોશિયલ મીડિયા પર આચાર સંહિતાને ભંગ થતી કોઈ પણ પોસ્ટ શૅર કરશે તો તેનુ પરિણામ તેને ભોગવવુ પડશે. સામાન્ય લોકોએ પણ […]

Continue Reading

જમાત-એ-ઇસ્લામીના પ્રતિબંધ પાછળ ભાજપ-પી.ડી.પી.ની સાંઠગાંઠ છે : ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે ફુલગામમાં એક જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ માટે પી.ડી.પી. જવાબદાર છે, જે ભાજપ અને આર.એસ.એસ.ને કાશ્મીરમાં લાવી. આ જ લોકો આજે અહીં તલવારો અને હથિયારો હાથમાં લઈ રેલી કાઢે છે. પી.ડી.પી. અધ્યક્ષ મહેબુબા મુફ્તીને લક્ષ્યાંક બનાવતા ઓમરે કહ્યું હતું કે, તેમની એ ભૂલોની […]

Continue Reading

ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ મોડી રાતે વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રમોદ સાવંતે કહ્યુ કે પાર્ટીએ મને બહુ મોટી જવાબદારી આપી છે. હું પૂરી કરવાની કોશિશ કરીશ કે મારી આ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરી શકુ. મનોહર પરિકરનો આભાર વ્યક્ત કરતા સાવંતે કહ્યુ […]

Continue Reading