PM નરેન્દ્ર મોદી પર 22મીએ રામલીલા મેદાનમાં થઈ શકે છે આતંકવાદી હુમલો : એજન્સી

કાશ્મીર મામલે અમેરિકા સહિતના દુનિયાભરના દેશો, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારે ધમપછાડા કર્યા બાદ પણ કંઈ જ ના વળતા પાકિસ્તાને સરહદે અટકચાળા કરવાના શરૂ કરી દીધા હતાં. ત્યા પણ મુસ્તાદ ભારતીય સૈન્યએ સણસણતો જવાબ આપતા પાકિસ્તાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ વાતને લઈને ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને […]

Continue Reading

દિલ્હી / CAAના વિરોધમાં ચાલી રહેલાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી સુરક્ષા બેઠક બોલાવી

દેશના અનેક વિસ્તારોમાં CAA મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને ઉગ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યાં છે. આ વિરોધ દરમિયાન પથ્થરમારા, આગચંપી જેવી ઘટના બની હતી. ત્યારે CAA પર હિંસક વિરોધને પગલે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાઇ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓ […]

Continue Reading

અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીના દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યુ કે એનઆરસી રાજીવ ગાંધી લઈને આવ્યા હતા ત્યારે તે સેક્યુલર હતા પરંતુ હવે સોનિયા ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરિકતા સુધારા કાયદા પર વિપક્ષ દુષ્પ્રચાર અને લોકોને ગુમરાહ […]

Continue Reading

સિટિઝન કાયદાનો હિંસક વિરોધ દુ:ખદ : વડાપ્રધાનની શાંતિની અપીલ

વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટ્સ દ્વારા દેશભરમાં કેન્દ્ર સરકારના નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં અનેક શહેરોમાં હિંસાની ઘટના પણ સામે આવી છે. આસામ, દિલ્હીમાં હિંસક દેખાવો થયા હતા અને લોકોએ સરકાર સમક્ષ આ કાયદાને પરત લેવા માગણી કરી હતી. આ સિૃથતિ વચ્ચે દેખાવકારો અને હિંસા ફેલાવનારાઓને તેના કપડાના આધારે ઓળખી કાઢો તેવું કહેનારા વડા પ્રધાન […]

Continue Reading

નાગરિકતા કાયદો, NRC લાગુ નહીં જ થાય, કેન્દ્ર મારી સરકારને હટાવી બતાવે : મમતા

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી ભારે હિંસા વ્યાપેલી છે ત્યારે આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક વિશાળ રેલીનું આયોજન કરી તેનો વિરોધ કર્યો હતો.  તૃણમૂલ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં હાજર રહેલા મમતા બેનર્જીએ કોમી સંવાદિતા તેમનું મુખ્ય લક્ષ્ય હોવાનું જણાવીને તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ નહીં થવા […]

Continue Reading

લક્ષચંડી મહાયજ્ઞમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું આ કારણે રહેશે અધુરૂ

ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું રોળાતુ દેખાઈ રહ્યું છે. હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગ્યો છે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજુ કરાયું હતું. હાર્દિકની મહેસાણામાં પ્રવેશ મામલે વધુ સુનાવણી 19મી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ […]

Continue Reading

નાગરિકતા બિલ વિરૂદ્ધ IIM પાસે પ્રદર્શન, 60ની અટકાયત, પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી

હાલ CAB(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ)ના વિરોધમાં જામિયા યુનિવર્સિટીથી લઈ દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં પણ બિલના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે અમદાવાદ આઈઆઈએમ પાસે વિરોધ કરી રહેલા 15 જેટલા […]

Continue Reading

ગૃહમંત્રીની હિમ્મત નથી કે તેઓ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લે: સોનિયા ગાંધી

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત અન્ય કેટલાક ભાગોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનો અને દિલ્હી જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કડક કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર સત્તા નહીં સંભાળી શકવાના આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મોદી સરકાર હિંસા અને ભાગલા નીતિ […]

Continue Reading

ખોટી ઉંમર બતાવતા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લાનું સભ્યપદ રદ્દ

અલ્હાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન તેમજ તેમના પરિવારને મોટો ફટકો આપ્યો છે. આઝમ ખાનના દીકરા અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અબ્દુલ્લાએ પોતાનું ધારાસભ્ય પદ છોડવું પડશે. હાઈકોર્ટે ચૂંટણી સમયે ખોટી ઉંમર બતાવવાના કારણે તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું છે.  નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના દીકરા […]

Continue Reading

અયોધ્યામાં ચાર મહિનામાં ભવ્યાતિભવ્ય ગગનચૂંબી રામ મંદિર બનશે: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કારણે પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જનસભામાં કહ્યું કે હવે રામ મંદિરના નિર્માણનો સમય આવી ગયો છે. ચાર મહિનાની અંદર-અંદર અયોધ્યામાં ભવ્યાતિભવ્ય ગગનચૂંબી રામ મંદિર બનવા જઈ રહ્યું છે.  અમિત શાહે જનસભાને […]

Continue Reading