નાગરિકતા સુધારણા બિલ પર સ્પષ્ટતા નહીં આપો ત્યાં સુધી સમર્થન નહીં મળે: શિવસેના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પાર્ટી ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી આ બિલ બાબતે બધી વાતો પર સ્પષ્ટતા ન થઈ જાય. જો નાગરિકોમાં આ બિલના કારણે ભય છે તો નાગરિકોની તમામ આશંકાઓ દૂર થઈ જવી જોઈએ. બિલનો વિરોધ કરનારા નાગરિકો પણ આપણા છે અને તેથી […]

Continue Reading

બુધવારે વિધાનસભામાં ગોધરામાં ટ્રેનને આગચંપીના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં બુધવારે ૨૦૦૨ના વર્ષમાં ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે નિમાયેલા તપાસ પંચનો અહેવાલ ભાગ-૨ અને આ અહેવાલ ઉપર લીધેલા પગલાંની વિગતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કેગનો આર્થિક અને મહેસૂલ ક્ષેત્રનો અહેવાલ રજૂ કરાશે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે […]

Continue Reading

બિહારની બક્સર જેલને 10 ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયો, હવે નરાધમો લટકશે

બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં […]

Continue Reading

સતત 7 કલાકની ચર્ચા બાદ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, શાહે કહ્યુ- ઘૂસણખોરોને જવું પડશે

લોકસભાએ સોમવારે નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને મંજૂરી આપી દીધી, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. લોકસભામાં આ બિલ પર સતત સાત કલાકથી પણ વધુ સમય સુધી ચર્ચા ચાલી. ગૃહમાં જવાબ આપતાં […]

Continue Reading

અચાનક નથી આવી મંદી, જાણો ક્યાં રહી ખામી અને કેવી રીતે બગડી અર્થવ્યવસ્થા

5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાં જોનાર આ ભારત નિકાસને લઈને છેલ્લા 5 વર્ષથી સતત તૂટી રહ્યું છે. દુનિયાને બજાર ખોલવાની શિખામણ આપતું ભારત પોતાના બજારને બંધ કરી રહ્યું છે. વિકાસદરમાં થઈ રહ્યો છે ઘટાડો વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં ભાગીદારી ફક્ત 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હાલમાં આ આંક 45 […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ફટકો: પરાજય બાદ સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ 12 બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસે ફક્ત બે બેઠકો પર વિજય મેળવી શકી છે. કોંગ્રેસના આવા કંગાળ પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ બંને […]

Continue Reading

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને 13 દિવસ વિત્યા, પરંતુ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની સરકાર બને 13 દિવસ વિતી ગયા છે, પરંતુ હજુ સુધી ખાતાઓની ફાળવણી કરવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરે એ 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં ધૂમધામથી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, તેમની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. પરંતુ તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. જો રાજકીય સૂત્રોનું માનીએ તો […]

Continue Reading

કોંગ્રેસની વિધાનસભા કૂચ અટકાવવા નેતાઓ પર વોટરકેનનનો મારો, અમિત ચાવડાની અટકાયત

ગુજરાત વિધાનસભાનુ ત્રિદિવસીય સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. જોકે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ રોડ સંગ્રામ જોવા મળ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરાઈ હતી. તો વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો […]

Continue Reading

ઓવૈસીએ લોકસભામાં ફાડી નાગરિકતા બિલની કૉપી, મચ્યો જોરદાર હોબાળો

નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમમાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ સદનની મર્યાદા ભૂલતા બિલની કૉપી જ ફાડી નાંખી. આના પર ભારે હોબાળા બાદ સ્પીકરની ચેર પર હાજર રમા દેવીએ તેમની આ હરકતને કાર્યવાહીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. ઓવૈસીએ બિલનો તીખો વિરોધ કરતા કહ્યું કે, “અમે ઝીણાની વાતને ફગાવીઅને મૌલાના આઝાદની વાતની સાથે ચાલ્યા, તેમણે કહ્યું […]

Continue Reading

બહાર કોંગ્રેસ કાર્યકરો પર પાણીનો મારો અને વિધાનસભામાં ધારાસભ્યો પાણીમાં બેઠા

બિનસચિવાલય ક્લાર્ક ભરતી મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં દેખાતા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નને વિધાન સભામાં ઉગ્રતાથી ઊંચો કરવાના બદલે ધારાસભ્યો શાંત થઈ ગયા હોવાનું નજરે ચઢતું હતું. અમિત ચાવડાના તો ઝપાઝપીમાં કપડાં પણ ફાટ્યા હતા. તેમછતાં કોંગ્રેસના ધારાસભ્યો પાણીમાં બેસી ગયા હોય તેવા ઘાટ સર્જાયો હતો. વિધાનસભામાં શાંત દેખાયા કોંગી ધારાસભ્યો સોમવારથી સારું થયેલા […]

Continue Reading