હવે ઉત્તરાખંડ સરકારે પણ ઘટાડ્યા ટ્રાફિક દંડ, 50 ટકા સુધીની આપી છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ વિશે આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી વિરોધ શરૂ થઈ ગયો. ગુજરાત બાદ હવે આ એક્ટમાં ઉત્તરાખંડ સરકારે આંશિક સુધારો કર્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટના અમુક નિયમોની દંડ રકમમાં લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો છે. આ તરફ કર્ણાટકના સીએમ કાર્યાલયે પણ […]

Continue Reading

આ દેશે પાકિસ્તાન પર એટલા બધા પ્રતિબંધ મુક્યા કે આતંકના આકાઓ કમરેથી વાકા વળી ગયા

આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાન પર અમેરિકાએ વધુ એક ફટકાર લગાવી છે. અમેરિકાએ આતંકીઓની એક યાદી જાહેર કરી છે જેમાં પાકિસ્તાનના એક આતંકી સંગઠન તેહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત આશરે ૧૧ જેટલા આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કર્યા છે. ૯/૧૧ની વરશી પૂર્વે જ અમેરિકા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી […]

Continue Reading

ચિદમ્બરમના આગોતરા જામીન અંગે આજે થશે હાઈકોર્ટમાં સુનાવણી

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની જામીનની અરજીને લઈને આજે દિલ્હી હાઈકોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ચિદમ્બરમે પોતાને ન્યાયિક હિરાસતમાં મોકલવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં હાલ સુધી અન્ય કોઈ આરોપી પકડાયા નથી તો તેમને પણ જામીન મળી જવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમની પૂછપરછ પણ પૂર્ણ થઈ ચૂકી […]

Continue Reading

બંગાળમાં નહી લાગુ થાય નવો મોટર વ્હીકલ એક્ટ: મમતા બેનરજી

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી અને બીજેપી વચ્ચે થયેલા રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે લાગુ કરેલો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મમતા બેનરજીએ નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરતા તેને રાજ્યમાં લાગૂ નહી કરવા કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર […]

Continue Reading

ઓટો સેક્ટરની મંદી માટે ઓલા, ઉબર પણ જવાબદાર

ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંધ રાખ્યું છે. આ સેક્ટર સાથે સંકળાયેલી નોકરીઓ પણ જોખમમાં છે. આ પરિસિૃથતિમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના વિચારોમાં પરિવર્તન અને બીએસ-6 મોડેલને જવાબદાર ગણાવ્યા છે. નાણા પ્રધાને જણાવ્યું છે કે ઓટોમોબાઇલ સેક્ટરની મંદી માટે અનેક પરિબળો જવાબદાર […]

Continue Reading

કાશ્મીર ભારતનો જ ભાગ છે : યુનોમાં પાક.નું કબૂલાતનામું

ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ઠેર ઠેર રખડી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, રશિયા, ઈસ્લામિક દેશો સહિત દરેક જગ્યાએથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કોઈનો પણ ટેકો નહીં મળવા છતાં પાકિસ્તાને હાલ જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, […]

Continue Reading

કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?

ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે. ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી. આ પછી એક કાયદો પસાર કરીને […]

Continue Reading

ગુજરાતમાં જૈશના 50 આતંકવાદી ઘૂસવાની બાતમીથી ફફડાટ : એલર્ટ જારી

કાશ્મીર સરહદે ભારે સુરક્ષા હોવાથી આતંકીઓ સમુદ્રી માર્ગેથી ઘૂસણખોરીની ફિરાકમાં : લેફ. જન. એસ.કે. સૈની એલઓસી પર પાક.ની બેટ ટીમનો આતંકીઓને ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ, પાંચને સૈન્યે ઠાર માર્યા આંધ્ર પ્રદેશના 1000 કિમી લાંબા સમુદ્રી કિનારા પર કોસ્ટગાર્ડ અને વિશેષ સૈન્ય દળ તૈનાત કરાયું, કેરળમાં પણ હાઇ એલર્ટ ગુપ્તચર એજન્સીઓને રિપોર્ટ મળ્યા છે કે પાકિસ્તાન દ્વારા […]

Continue Reading

ભારત પર હુમલા કરવા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને છોડી મુક્યો

પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. ઉરી, પુલવામા જેવા હુમલામાં જેનો હાથ છે તે મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેેને પકડીને જેલમાં નાખવાના અહેવાલો પાકિસ્તાને માત્ર વાહવાહી માટે જ ફેલાવ્યા હતા. એવા રિપોર્ટ છે કે પાકિસ્તાને હાફિઝ સઇદને જેલમાં નહીં પણ પોતાની જ સુરક્ષામાં બધા જ […]

Continue Reading

મારા અધિકારીઓએ કંઈ જ ખોટું નથી કર્યું તેથી તેમની ધરપકડ ન કરશો: ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં દોષીત કરાર આપ્યા બાદ ધરપકડ કરાયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે આ કેસમાં અન્ય એક પણ અધિકારીઓની ધરપકડ ન થવી જોઈએ કારણ કે તે લોકોએ કંઈ જ ખોટું કામ નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ પોસ્ટ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે […]

Continue Reading