અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારણ કર્યો કેસરિયો ખેસ,જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી અટકળો ચાલી હતી કે ક્યારે ભાજપમાં જોડાશે? અને આજે ગુરુવારના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને અટકળોનો અંત આવ્યો છે.કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ […]

Continue Reading

ગ્રેટ પોલિટિકલ સર્કસઃ બીજેપીનું રાત્રિરોકાણ, રાજ્યપાલે CMને કહ્યું- બહુમત સાબિત કરો

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર રહેશે કે જશે, તેના પર તમામની નજરો લાગેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું નાટક રાજ્યમાં જોર પકડી રહ્યું છે. વિધાનસભાના સ્પીકરે પહેલાં વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો હતો, પણ સાંજ થતાં થતાં સદનને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. તેના પર બીજેપી ભડકી ગઈ હતી. કર્ણાટકના રાજ્યપાલ […]

Continue Reading

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીએ નર્મદા યોજનાથી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉઠાવેલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજનાથી સિંચાઈ કુલ ૧૮ લાખ માંથી ૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે એવું નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સામાજિક – […]

Continue Reading

ભાજપ સરકાર કર્મચારીઓની જેમ મંત્રીઓની ભરતી પણ આઉટસોર્સિંગથી જ કરે છે

વિધાનસભાગૃહમાં આજે બપોરે પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા બાદ બજેટના જુદા જુદા ડિપાર્ટમેન્ટની માગણીઓ પરની ચર્ચા હતી. જેમાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે જોરદાર બેટિંગ કરી હતી અને સરકારના કહેવાતા ગુજરાત મોડેલ ની પોલ ખોલી હતી દેવાય ચાલુ હતું કે સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનું હૃદય છે પરંતુ ૩૧૩ ના […]

Continue Reading

કર્ણાટક વિવાદ : રાજીનામું આપનાર MLAને વિશ્વાસ મત માટે ફરજ પાડી શકાય નહીં – સુપ્રીમ કોર્ટ

કર્ણાટકના રાજકીય સંકટમાં એક નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસ-જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાની અપીલ પર બુધવારે સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિધાનસભા સ્પીકર કે આર રમેશ પોતાની અનુકુળતા મુજબ ધારાસભ્યોના રાજીનામા પર વિચારણા કરી શકે છે. આ માટે તેમના પર સમય મર્યાદા લાગુ થવી જોઈએ નહીં. […]

Continue Reading

ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભૂકંપ, ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને IT વિભાગે ફટકારી નોટિસ

ગુજરાતના ધારાસભ્યો પર ઈન્કમટેક્ષ વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 70 ધારાસભ્યોને ઈન્કટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે. હવે તમને એક સવાલ ઉદ્દભવશે કે, કેમ ઈન્કમટેક્ષ વિભાગે ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. તો અમે તમને જણાવીએ કે, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના દ્વારા […]

Continue Reading

અંતે અલ્પેશ ઠાકોર આવતીકાલે ભાજપમાં જોડાશે, મંત્રીપદ સામે પ્રશ્નાર્થ

અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં સભ્ય બનાવવાના બદલામાં ભાજપ નેતાઓ ‘કમિશન’ લેતા હોવાનો આરોપ

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ નેતાઓ પછી હવે ભાજપ પણ ‘કમિશન’ના આરોપોનો સામનો કરી રહ્યો છે. ભાજપે હાલમાં સમગ્ર દેશમાં પક્ષમાં કાર્યકરોને જોડવા માટે અભિયાન હાથ ધર્યું છે.આવા સમયે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક નેતાઓ સભ્યપદના ફોર્મ માટે કથિતરૂપે 500થી 1200 રૂપિયાનું કમિશન લઈ રહ્યા હોવાની ફરિયાદો ભાજપના નેતાઓને મળી છે. ભાજપના રાજ્ય મહાસચિવ (સંગઠન) સુબ્રત ચટ્ટોપાધ્યાયે પણ આરોપોની […]

Continue Reading

જ્યારે લોકસભામાં અમિત શાહ અને ઓવૈસી થયા આમને-સામને.

દિલ્હીમાં સંસદના બજેટ સત્રમાં સોમવારે એનઆઈએ બિલ રજૂ કરતી વખતે થયેલા ઉહાપામાં ગૃહમંત્રી અમિત શાહને વચ્ચે બોલવુ પડ્યુ હતુ. લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)બીલને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ વિષયમાં ભાજપના સાંસદ અને મુંબઇના પૂર્વ પોલિસ કમિશ્નર સત્યપાલ સિંહ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ત્યારે AIMIMના નેતા અને સંસદ અસદુદ્દીન ઓવૈસી વારંવાર વચ્ચે […]

Continue Reading

બળજબરીથી ધાર્મિક નારા લગાવવા મામલે ભડક્યા માયાવતી, કહી મોટી વાત

બસપા ચીફ માયાવતીએ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત બીજા અમુક રાજ્યોમાં જબરદસ્તી ઘાર્મિક નારા લગાવવાના મામલો વધતા જઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવા મામલા તત્કાલ રોકવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બસપા પ્રમુખ માયાવતીએ ટ્વીટર પર લખ્યુ છે, ‘યુપી સહિત અમુક રાજ્યોમાં બળજબરીથી પોતાના ધાર્મિક નારા લગાવવા તેમજ તે આધારો […]

Continue Reading