તૃણમૂલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભૂતપૂર્વ સૈનિકો પ્રત્યે પોતાનો સાથ-સહકાર પ્રગટ કર્યો, જેમણે રાજકીય ઉદેશ્યો માટે સશસ્ત્ર દળોનો કથિત ઉપયોગ કરવા મામલે આક્રોશ વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પશ્ચિમ બંગાલના કુર્સિયાંગમાં એક રેલીને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યું કે, અમને આપણા સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે, પરતું હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ સૈનિકોની ઉપલબ્ધિઓને ઉલ્લેખ કરીને ક્યારેય વોટ માંગીશ નહીં. ભારતીય સૈન્યના આઠ પૂર્વ વડા અને 148 અન્ય પૂર્વ સૈનિકોએ કહ્યું કે, આ ચિંતા અન્ય ફરજ બજાતવાત સૈનિકો તથા સેવાનિવૃત સૈનિકો વચ્ચે અસંતોષનો મામલો છે કે સશસ્ત્ર સેનાઓનો ઉપયોગ રાજકીય એજન્ડા ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
મમતા બેનરજીએ કહ્યું કે, વર્તમાન લોકસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. અમે સાથે મળીને કેન્દ્રમાં સરકાર બનાવીશું. તેમણે દાવો કર્યો કે ભાજપ માટે લોકસભામાં 100 સીટનો આંક પાર કરવો પણ મુશ્કેલ થઈ જશે.
કુર્સિયાંગ માટે પોતાની વિકાસ યોજનાનું વચન આપતાં ટીએમસી પ્રમુખ બેનરજીએ કહ્યું કે, અમારી સરકાર શહેરમાં યુનિવર્સિટી અને પર્યટક લોજ બનાવશે. મુખ્યમંત્રીએ ભગવા પાર્ટી પર નિશાન તાક્યું અને કહ્યું કે, અમે દાર્જિંલિંગ સીટ પર ભૂમિપુત્ર ઉભો રાખ્યો છે, જ્યારે ભાજપે મણિપુરના એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. આ દુખદ છે કે ભાજપને દાર્જિંલિંગથી કોઈ ઉમેદવાર મળ્યો નહીં.

