કોંગ્રેસમાંથી હજી 15થી 17 ધારાસભ્યો તૂટશે : અલ્પેશ ઠાકોર

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. સોમવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે.

આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે આજે ભાજપની વાહવાહી કરી હતી. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને એક નિવેદન આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે આજે ભવિષ્યવાણી કરી હતી કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે 15થી 17 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ક્યારેય પણ ભાજપમાં જોડાઇ શકે છે.