ગેસ કંપની ઈન્ડેનના ગ્રહકોના આધાર ડેટા લીક

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની એલપીજી ગેસ કંપની ઈન્ડેનમાંથી લાખો ડિલરો અને ડિસ્ટ્રીબ્યૂટરોના આધાર કાર્ડની વિગતો લીક થઈ હોવાનું ફ્રેન્ચ સંશોધક બાપ્ટીસ્ટ રોબર્ટે જણાવ્યું હતું. તેણે બ્લોગમાં લખ્યા પ્રમાણે લગભગ ૬૭ લાખ ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરના આધાર ડેટા લીક થઈ ગયા હતા. લોકલ ડિલરના પોર્ટલ ઉપર જરૂરી ઓથેન્ટીકેશન નહીં હોવાથી ઈન્ડેનના ગ્રાહકોના આધાર નંબર અને સરનામા લીક થાય […]

Continue Reading

લોકસભા માટે દક્ષિણ ભારતમાં ભાજપનું ગઠબંધન

લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તામિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ભાજપ આ ગઠબંધનમાં પીએમકે અને ડીએમડીકેને પણ સાથે […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વઘીને 12 ટકા

કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી, ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણયનો લાભ ૧.૧ કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકના અંતે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં […]

Continue Reading

કાશ્મીરના યુવાનોને સેનાની ચેતવણી

કાશ્મીરમાં પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, આ હુમલામાં કાશ્મીરી અને પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. જેને પગલે હવે સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે આક્રમક પગલાં લીધા છે. સૈન્ય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ કાશ્મીરમાં હથિયાર ઉઠાવશે તેને સાફ કરી દેવામાં આવશે. સૈન્યએ આ ચેતવણી એવા સમયે આપી છે […]

Continue Reading

આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ: મંગળવારે વચગાળાનું બજેટ

ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો પ્રારંભ ૧૮ સોમવારથી પાંચ દિવસ માટે થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારે પૂર્ણ બજેટને બદલે વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતું વચગાળાનું ચાર માસનું બજેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ સત્રના પહેલા જ દિવસે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મુલત્વી રહેશે. સોમવારે રાજ્યપાલના પ્રવચન સાથે સત્ર […]

Continue Reading

સી પ્લેન પ્રોજેક્ટ માટે મગરોનું સ્થળાંતર

નર્મદા ડેમ પાસે તળાવ નંબર ૩માંથી સી પ્લેન ઉતારવાનું આયોજન કરાયું છે. કેવડિયા કોલોની ખાતે સી પ્લેનના પ્રોજેક્ટનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પણ આ તળાવમાં ૩૦૦ કરતાં વધુ મગરો હોવાથી પ્રવાસીઓ માટે જોખમી હોઇ તેમનું સ્થળાંતર કરવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહે ચાર મગરોને રેસ્ક્યુ કરીને સરદાર સરોવરમાં છોડી […]

Continue Reading

ગામડાંના ૫૦૦ રૂટ્સ બંધ કરી દેવાયાઃ કોંગ્રેસનો આક્ષેપ

મહાનગરપાલિકાનો વ્હિકલ ટેક્ષ કે અન્ય જે કોઈ ટેક્ષ ભરવાનો હોઈ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલિકની છે. તેમ છતાં, ખાનગી બસોને અમદાવાદ વ્હિકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ.માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજૂરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે. જે ખાનગી બસના માલિકોએ એસ.ટી.નિગમને […]

Continue Reading

વીજગ્રાહકો પાસે ખોટા ફ્યૂઅલ સરચાર્જના નામે લૂંટ

ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની શક્યતા છે, ત્યારે ‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને […]

Continue Reading

શત્રુઘ્ન સિંહાએ પીએમ મોદીના વખાણ કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૩૩,૦૦૦ કરોડની કિંમતના પટના મેટ્રો રેલ અને અન્ય પ્રોજેક્ટોના કરેલા ઉદ્ઘાટન બાદ બડબોલા શત્રુઘ્ન સિંહાએ રવિવારે મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે આ યોજનાઓને લીધે બિહારનો વિકાસ થશે. સિંહાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારને પટના મેટ્રો પ્રોજેક્ટ માટે આવકારું છું. […]

Continue Reading

આસામને બીજું કાશ્મીર બનવા નહીં દેવાય: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આસામની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે સુરક્ષા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરાશે નહીં. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષાસે નહીં. પાકિસ્તાનના કાયરતાભર્યા હુમલાનો બદલો લેવાશે. કેન્દ્રમાં કૉંગ્રેસ નહીં પણ મોદી સરકાર છે. કૉંગ્રેસ અને આસામ ગણ પરિષદને […]

Continue Reading