પીએમ નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ ગુજરાતીમાં શું કહ્યું, જાણો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુર ખાતેના મેદાનમાં ગુજરાતી ભાષામાં જ કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે. દરમિયાન સ્ટેજ પર આવકાર ટાણે જ એક મહિલા કાર્યકરે રાહુલ ગાંધીને ગાલ પર ચુંબન કરતા તેઓ ઘડીભર શરમાઇ ગયા હતા. રાહુલ ગાંધીએ 5 લોકસભા મતવિસ્તારને આવરી લેતી સભાને સંબોધનની શરૂઆત જ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ચોકીદાર […]

Continue Reading

કાશ્મીર હુમલોઃ જાણો કોણે શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પુલવામામાં જવાનો પરનો હુમલો ઘૃણાજનક હતો. હું એ હેવાનિયતભર્યા હુમલાને સખત રીતે વખોડું છું. જવાનોનું બલિદાન એળે નહીં જાય. આખું રાષ્ટ્ર આજે હુમલામાં શહીદ થયેલા જવાનોના કુટુંબીઓની પડખે ઊભું છે. આજનો સીઆરપીએફ પરનો પાશવી હુમલાની ઘટના અત્યંત દુ:ખદાયક અને વ્યાકુળ કરનારી હતી. રાષ્ટ્ર માટે પોતાનો જાન ન્યોછાવર કરનાર […]

Continue Reading

JK: સૌથી મોટો આતંકી હુમલો, 44 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે 350 કિલો વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કારને સૈન્યની બસ સાથે અથડાવ્યા બાદ થયેલા વિસ્ફોટમાં બસમાં સવાર સીઆરપીએફના 44માંથી ઘટનાસ્થળે અને હૉસ્પિટલમાં મળીને 42 જવાન શહીદ થયા હતા અને બચેલા બે જણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે છુપાયેલા ત્રાસવાદીઓએ કરેલા ગોળીબાર અને વિસ્ફોટને કારણે અન્ય 40 જેટલા […]

Continue Reading

15 લાખ મળશે MLAsનેઃ ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ એકસાથે

ગુજરાતના ધારાસભ્યો અને તેમના પરિવારજનો જો હવે બીમાર પડશે તો રાજ્ય સરકાર રૂ. 15 લાખ સુધીનો ખર્ચ ભોગવશે. આમ વાર્ષિક 3 લાખની આવક ધરાવતા સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ માત્ર 3 લાખ સુધીની સારવારનો લાભ મળે છે. જ્યારે રૂપાણી સરકારે ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કર્યા વિના કરોડપતિ ધારાસભ્યોની સારવાર માટે 15 […]

Continue Reading

50 વર્ષનો યોગાનુયોગ : વલસાડમાં જે જીતે તેની સરકાર બને

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગું વલસાડનાં ધરમપુરથી ફૂંકયું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે એવો યોગાનુયોગ સ્વ. ઇન્દિરા ગાંધીથી ચાલ્યો આવે છે. જોકે અહીં જ્યારે અપક્ષ કે કૉંગ્રેસ ભાજપ સિવાયનો ઉમેદવાર જીતે ત્યારે સંયુક્ત સરકાર બની હોવાનો પણ અનોખો યોગાનુયોગ છે. 1980માં સ્વ. […]

Continue Reading

CM રૂપાણીનો રાહુલ ગાંધીને સવાલ

લોકસભાની ચૂંટણી 2019નું રણશીંગું ફૂંકવા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર આવ્યા તે પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પીપાના નવનિર્મિત બિલ્ડિંગ અને મહિલા હોસ્ટેલનું લોકાર્પણ કર્યા બાદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કૉંગ્રેસની સ્થિતિ સારી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ વિજય રૂપાણીએ સ્પીપાના […]

Continue Reading

કેનેડા રહેતા પરિવારની બોગસ સહિ કરી કાકાએ મિલકત વેચી મારી

કેનેડામાં રહેતી મૂળ કામરેજના વાલક ગામની મહિલાની તેમજ તેના ચાર ભાઈ – બહેનની બોગસ સહી કરી સગા કાકાએ ગામની મિલકત બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી નાખી તેમને હિસ્સો નહીં આપતા એનઆરઆઈ મહિલાએ સરથાણા પોલીસ મથકમાં સગા કાકા અને તેમને મદદ કરનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ […]

Continue Reading

ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવા સામે વિરોધ

ધો.૧૨. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખુદ બોર્ડના જ સભ્યોએ વિરોધ કર્યો હતો. ધો.૧૨ પછીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ગણાવાના નથી. આમ છતા બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર રોષ છે. જે […]

Continue Reading

MSUમા પૂર્વ વિદ્યાર્થીઓ માટે ૧૨ માળનું બિલ્ડિંગ બનાવાશે

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી તરીકે બીજી ટર્મ મેળવનાર પ્રો.પરિમલ વ્યાસના સન્માન સમારોહમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે ૧૨ માળની બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને માતૃ સંસ્થા તરફ આકર્ષવા માટે સત્તાધીશો કેટલાક વર્ષોથી કવાયત કરી રહ્યા છે. સિન્ડિકેટ સભ્ય દ્વારા સન્માન સમારોહ દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે યુનિવર્સિટીના ચમેલી બાગ ખાતે કરોડોના ખર્ચે […]

Continue Reading

વિદ્યાર્થીનું નામ,અટક કે જન્મ તારીખમાં હવે ધો.૧૨ સુધી સુધારો થઈ શકશે

ગુજરાત શિક્ષણ બોર્ડની સોમવારે મળેલી સામાન્ય સભામાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે  સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો  છે. જેથી હવે આગામી વર્ષોમાં ધો.૧૦માં ગણિતમાં લોઅર અને હાયર સ્ટાન્ડર્ડ એમ જુદા જુદા બે પેપર વિદ્યાર્થીઓને મળી શકે […]

Continue Reading