પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુધ્ધ અસંતોષ ભભૂક્યો

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામુ ધરી દીધા બાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આશા પટેલે સંગઠનના કોઇ ઠેકાણાં જ નથી તેવો આક્ષેપ કર્યો છ. આ જ મુદ્દે હવે અમિત ચાવડા હટાવો અભિયાન શરુ થયુ છે. પાટીદાર ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યાં છે. આ ઉપરાંત દસથી વધુ અસંતુષ્ટ ધારાસભ્યોએ તો હાઇકમાન્ડને પત્ર લખી સંગઠનમાં આમૂલ ફેરફાર કરવા […]

Continue Reading

જાહેરાતથી વિપરીત પરિપત્ર થતાં ઉદ્યોગો સરકારથી નારાજ

ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઔદ્યોગિક એકમો નાખવા આગળ આવેલા ઉદ્યોગોને ઉત્પાદન શરૃ કરવા માટે પ્લોટ ફાળવાયા પછી ૪ વર્ષનો સમય ગાળો આપવાની જાહેરત મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ૧૨મી ડિસેમ્બરે કરી તો ખરી, પરંતુ તે અંગેના પરિપત્રમાં માત્ર નવા સ્થપાનારા ઉદ્યોગોને જ આ નવી જોગવાઈનો લાભ આપવાનો નિર્ણય કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. […]

Continue Reading

અદાણી ને ટાટા પાવરે વેરિયેબલ ચાર્જ વધારી દીધા

વેરિયેબલ ચાર્જ વધારવા માટે ગુજરાત વીજ નિયમન પંચની પૂર્વ મંજૂરી મળે તે પહેલા જ અદાણી પાવરે યુનિટદીઠ વેરિયેબલ ચાર્જમાં ૯૪ પૈસાનો અન ટાટા પાવરે વેરિયેબલ ચાર્જમાં યુનિટદીઠ ૧૧ પૈસાનો વધારો કરી દીધો છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ સુધીના ત્રિમાસિક ગાળા માટે વેરિયેબલ કોસ્ટમાં વધારો માગવામાં આવ્યો છે. જેને પરિણામે એક મહિને રૃા.૭૮૭.૨ કરોડનો વધારાનો બોજ ગ્રાહકો […]

Continue Reading

બનાસકાંઠામાં ચાર યુવતીઓનો સામૂહિક આપઘાત

ગુજરાતમાં સોમવારે બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બે યુવતીઓએ બીમારીના કારણે કેનાલમાં કૂદકો લગાવ્યા બાદ તેની બે મિત્ર યુવતીએ પણ તેમની સાથે મોતનો કૂદકો લગાવ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામ પાસેની નર્મદાની કેનાલમાં મીનાક્ષી ઠાકોર […]

Continue Reading

ગુજરાતમાં માવઠાનો માહોલ, વાતાવરણમાં પલટો

ઉત્તર ભારતમાં પડી રહેલી હીમવર્ષાને લઈ રાજ્યમાં કોલ્ડવેવ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડીમાં જબરો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ સહિત વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા ખેડૂતો માવઠું થવાની ભીતિથી ચિંતિત બન્યા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા […]

Continue Reading

પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ટિપ્પણી મામલે પોલીસને આવેદન

કૉંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગ સાથે વડોદરા શહેર કૉંગ્રેસ મહિલા મોરચા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ તૃપ્તિ ઝવેરીએ જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો દ્વારા પ્રિયંકા ગાંધીની સોશ્યલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી શરૂ […]

Continue Reading

મૌની અમાવસ્યાએ કુંભમાં લાખોનું પવિત્રસ્નાન

પ્રયાગરાજ ખાતે કુંભનગરીમાં ચોથી ફેબ્રુઆરી, સોમવારે મૌની અમાવસ્યા નિમિત્તે લાખો શ્રદ્ધાળુએ કુંભમેળાનું બીજું પવિત્રસ્નાન કર્યું હતું. કુંભમેળાનું આ બીજું ‘શાહીસ્નાન’ હતું. કુંભમેળામાં મૌની અમાવસ્યા સોમવારે જ આવી હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે રાતના ત્રણ વાગ્યાથી જ પવિત્રસ્નાન માટે લાખો લોકો ભેગા થયા હતા. કુંભનગરીમાં વાહનો પર […]

Continue Reading

કોલકાતાના પોલીસ કમિશનરે CBI સમક્ષ હાજર થવું જોઇએઃ સુપ્રીમ કોર્ટ

લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ રાજકીય અખાડો બની ગયું છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સીબીઆઇની યાચિકા પર સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ મહેતાને સીબીઆઇની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આદેશ આપ્યો છે કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઇ સામે હાજર થવું જોઇએ. જોકે આ દરમિયાન સીબીઆઇ […]

Continue Reading

હિમાચલમાં ભારે બરફવર્ષા અને વરસાદની ચેતવણી

હિમાચલ પ્રદેશમાં આ સપ્તાહ દરમિયાન ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બુધવારે ભારે બરફવર્ષા થશે. પાટનગર દિલ્હીમાં સવારમાં ધુમ્મસને કારણે વિમાન વ્યવહારમાં અસર થઇ હતી. હિમાચલના કુલ્લુ, ચંબા, લાહોલ અને સ્પિત, શિમલા, કાંગરા જિલ્લાઓમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી […]

Continue Reading

મેહુલ ચોક્સી અંગે મોદી સરકારનો નવો દાવો

કરોડો રૃપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોક્સીએ ભારતની નાગરીક્તાને જતી કરી છે જ્યારે એન્ટીગુઆની નાગરીક્તા અપનાવી લીધી છે. આ સ્થિતિ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો જ નાગરીક છે અને તેને કોઇ પણ સંજોગોમાં ભારત લાવવામાં આવશે. મેહુલ ચોક્સી અને નિરવ મોદી બન્નેએ પંજાબ બેંક પાસેથી ૧૫ હજાર […]

Continue Reading