2030 સુધી રેલવેને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ બનાવીશું, 50 લાખ કરોડ એકઠા કરવા ખાનગીકરણ જરૂરીઃગોયલ

રેલવે મંત્રી પીયૂષ ગોયેલે કહ્યું કે, ભારતીય રેલવેને 2030 સુધી દુનિયાની સૌથી શ્રેષ્ઠ રેલવે બનાવીશું. જેના માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે, પરંતુ સરકાર એકલા તેને પુરુ નહીં કરી શકે. ઘણા ક્ષેત્રોમાં ખાનગીકરણની જરૂર પડશે. ગોયલ શનિવારે ભાજપના ગોવાના એકમના સભ્યપદ માટેના અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમને કહ્યું કે, રેલવે ગોવા […]

Continue Reading

મેચ દરમિયાન ભારત વિરોધી મેસેજ સાથે ઉડ્યાં 3 પ્લેન, BCCIએ વિરોધ નોંધાવ્યો

ભારત અને શ્રીલંકાની મેચમાં ભલે ભારતનો વિજય થયો હયો પરંતુ એક પછી એક ત્રણ પ્લેન જે રીતે ઉડીને ગયાં, તેનાથી ટીમ ઇંડિયાની સુરક્ષા સામે ગંભીર ચિંતા પેદા થઇ છે. આ ઘટનાને લઇને બીસીસીઆઇમાં પણ રોષ છે . શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલુ હતી એ દરમિયાન એક પછી એક ત્રણ પ્લેન સ્ટેડિયમ […]

Continue Reading

પશ્ચિમ બંગાળ: હિંસક રાજકીય યુદ્ધ દરમિયાન રાજ્યમાંથી 100થી વધારે દેશી બોમ્બ જપ્ત

રાજકીય હિંસા માટે કુખ્યાત પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાંથી પોલીસે 100થી વધારે દેશી બોમ્બનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા દસ દિવસોમાં મલ્હારપુર અને લાભપુર વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાઓ પર વિસ્ફોટ થયા હતા જે પછી બીરભૂમ જિલ્લામાં પોલીસ સક્રિય બનતા કાર્યવાહી કરી હતી. આ પહેલા વર્ષ […]

Continue Reading

આધારથી ટેક્સ જમા કરનારાઓને વિભાગ જાતે જ ‘પાન’ આપશે

કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટ જાહેર કરતાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડથી રિટર્ન ભરી શકાશે. હવે આના અનુસંધાનમાં સીબીડીટી પ્રમુખે કહ્યું કે, ફક્ત ‘આધાર’ થકી ‘આવકવેરા રિટર્ન’ દાખલ કરનાર વ્યક્તિને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા વિભાગ જાતે જ એક ‘પાન’ આપશે. સીબીટીડીના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું કે, પાન(પરમેનેન્ટ અકાઉન્ટ નંબર)ની ઉપયોગિતા નિશ્ચિત રીતે ખતમ થઈ નથી અને […]

Continue Reading

ઉમરગામમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

ભરતસિંહ વાઢેર,કિર્તેશ પટેલ, ઉમરગામ : દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના પગલે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરગામના રોહિતવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોહિતવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તાર ભારે […]

Continue Reading

નીરવ મોદી પછી PNBને 3800 કરોડ રુપિયાનો ચૂનો લગાવતી કંપની

પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદી અને મેહુલ ચોક્સી કૌંભાડ પછી અન્ય એક કૌંભાડમાં 3800 કરોડ રુપિયાનો ચૂનો લાગ્યો છે. શનિવારે બેન્ક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડે બેન્ક સાથે કરોડો રુપિયાનું કૌંભાડ કર્યું છે. પીએનબીએ જણાવ્યું કે, આ કૌંભાડની જાણકારી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તેમને આપવામાં આવી છે. કંપનીએ બેન્ક દેવામાં […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો તાંડવ, ઉમરગામમાં 13 ઇંચ વરસાદ હાઇવે જામ, નદીઓ ગાંડીતુર

વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પર અસર પડી હતી. મોટાભાગની ટ્રેન 2થી 3 કલાક મોડી ચાલતી હતી. […]

Continue Reading

મુંબઈ : ધારાસભ્યોના રાજીનામાનો વિરોદ્ધ કરનાર યુથ કોંગ્રેસ કાર્યકર્તાની ધરપકડ

મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ સૂરજ સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇની સોફિટલ હોટલની બહાર વિરોદ્ધ પ્રદર્શન કરી રહેલા સૂરજ સિંહ ઠાકુર સહિત ઘણા કોંગ્રેસ કોર્યકર્તાની ઘરપકડ કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ કાર્યકર્તા કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યો પાસે રાજીનામુ પાછું લેવાની માગ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામીની સરકાર […]

Continue Reading

એર ઈન્ડિયાને વેચવા નવેસરથી પ્લાનિંગ, સરકાર પોતાનો 100 ટકા હિસ્સો વેચવા તૈયાર

હજારો કરોડો રુપિયાની ખોટ ખાઈ રહેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે નવેસરથી વિચારણા શરુ કરી છે. સરકારે જે નવી યોજના બનાવી છે તેમાં સરકારની એર ઈન્ડિયામાં રહેલી 100 ટકા હિસ્સેદારી વેચવા માટે પણ સરકારની તૈયારી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે જો કોઈ કંપની એર ઈન્ડિયામાં 100 ટકા સ્ટેક ખરીદવા માંગતી હોય […]

Continue Reading

બાલાકોટ સ્ટ્રાઈક બાદ ડરેલા આતંકીઓ અફઘાનિસ્તાનમાં શિફ્ટ થઈ રહ્યા છે

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરીને આતંકી પ્રશિક્ષણ આપતા કેમ્પોને ટાર્ગેટ કર્યા બાદ ફફડેલા આતંકવાદી સંગઠનોએ પોતાના આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં ખસેડી લીધા છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે જૈશે મહોમ્મદ અને લશ્કરે તોઈબા જેવા આતંકવાદી સંગઠનના ઘણા આતંકવાદીઓ અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં શિફ્ટ થઈ ગયા છે.જ્યાં તેમણે તાલિબાની આતંકવાદીઓ સાથે હાથ […]

Continue Reading