ગુજરાતને હાશકારો : વાયુનો રૂટ બદલાયો, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું વાયુને લઈને ગુજરાત માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે રાત્રે વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાથી હવે ગુજરાત પર ત્રાટકશે નહીં અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ ફંટાયું છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને વધુ આદેશ ના મળે ત્યાં સુધી સ્ટેન્ડબાય રહેવા સુચના આપી છે. વાયુ વાવાઝોડું […]

Continue Reading

અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂક્વ્યું

ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બુધવારે જણાવ્યું છે કે, તેમણે બિહારના 2100 જેટલા ખેડૂતોનું બાકી દેવું ચુકવવામાં મદદ કરી છે. 76 વર્ષીય અભિનેતા અમિતાભ બચ્ચે આ માહિતી બ્લોગ લગીને સાર્વજનિક કરી છે. બચ્ચને કહ્યું કે, તેમણે કેટલાક ખેડૂતોને પોતાના નિવાસસ્થાન પર બોલાવ્યા અને પોતાની દિકરી શ્વેતા અને અભિષેકના હાથે એમને ધનરાશિ દાન કરી છે. અમિતાભે બ્લોક […]

Continue Reading

પશ્ચિમ બંગાળ હિંસા: બધા જ રાજકીય દળોને બેઠક માટે રાજ્યપાલની અપીલ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને પરિણામ પછી ભડકેલી રાજકીય હિંસાના પગલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગુરુવારે બધા જ રાજકીય દળોને બેઠક માટે અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં રાજભવન ખાતે બેઠકમાં હાજરી આપવા માટે કરેલ અપીલ પૈકી ભારતીય જનતા પાર્ટીએ સામેલ થવા જણાવ્યું છે. ભાજપાએ રાજ્યપાલના પગલાની પ્રશંસા કરતા મમતા બેનરજી સરકાર પર પ્રહાર […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સતત 9મી મેચમાં હરાવ્યું, 41 રને જીત મેળવી

વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું હતું. આ તેની પાકિસ્તાન સામે સતત 9મી જીત હતી. પાકિસ્તાન છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 15 જાન્યુઆરી 2017ના રોજ જીત્યું હતું. 308 રનનો પીછો કરતા પાકિસ્તાને 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઓપનર ઇમામ ઉલ હકે 53 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે […]

Continue Reading

પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી

PNB ગોટાળા મામલે આરોપી અને ભાગેડૂ નીરવ મોદીને લંડનની કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય જજે નીરવ મોદીને લઇને સખ્ત ટીપ્પણી કરતા તે શંકા વ્યક્ત કરી કે, જો જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડા થઇ શકે છે. સુનવણી દરમિયાન જજ તરફથી નીરવ મોદીના વકીલને ફટકાર લગાવવામાં આવી […]

Continue Reading

વધુ એક ભાજપ કાર્યકરની હત્યા,કોલકાતામાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, લાઠીચાર્જ

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો સિલસિલો અટકી રહ્યો નથી ત્યારે મમતા બેનરજીની સરકાર સામે વિરોધ કરવા માટે આજે કોલકાતામાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસ હેડક્વાર્ટર તરફ વધી રહેલા ભાજપના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા.એ પછી વોટર કેનોનનો પણ ઉપયોગ કરાયો હતો.લોકસભા ચૂંટણી પછી ભાજપ અને ટીએમસી વચ્ચેની […]

Continue Reading

ચક્રાવાત ‘વાયુ’ની આફત હજી ટળી નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો અનુભવાયો

ચક્રાવાત ‘વાયુ’ને લઇને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એલર્ટ છે. તંત્ર પણ સ્થિતીને પહોંચી વળવા સજ્જ થયું છે. હજી ચક્રવાત ‘વાયુ’ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો આવ્યો છે. આ ભુકંપની તિવ્રતા 2.3ની નોંધવામાં આવી છે. આ ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દુર નોંધયું છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ અમદાવાદ સહિત ઉત્તર […]

Continue Reading

‘વાયુ’ વાવાઝોડુ: છેલ્લી સ્થિતિ કેવી છે?

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવેશી રહેલ વાયુ વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતા 150 થી 165 કિ.મી.ની રહેવાની સંભાવના છે જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે […]

Continue Reading

વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

24 કલાકથી પણ ઓછા સમયમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે વેરાવળથી આ ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નિશ્વિત છે. વાયુ વાવાઝોડાને પગલે ત્રિસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની […]

Continue Reading

બંગાળ: બે દિવસ પહેલા ગુમ થયેલા ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો

પશ્ચિમ બંગાળમાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. માલદામાં બે દિવસ પહેલા ભાજપનો એક કાર્યકર્તા ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવ્યો છે. ભાજપા કાર્યકર્તા આશીષ સિંહ બે દિવસ પહેલા માલદામાંથી ગુમ થયો હતો. બે દિવસ બાદ ઈંગ્લિશ બજાર પોલીસ સ્ટેશનના બાધાપુકુર વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આશીષ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ […]

Continue Reading