અયોધ્યા નિર્ણય દરમિયાન સમગ્ર દેશમાં કોઇ પણ અપ્રિય ઘટના બની નથી

શનિવારે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી સંવેદનશીલ મુદ્દો  અયોધ્યા વિવાદીત જમીન પર નિર્ણય આપ્યો. લગભગ ચાલીસ વર્ષથી ચાલી રહેલા આ વિવાદનો અહી અંત માનવામાં આવે છે પરંતુ આ માટે ભૂતકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સમગ્ર દેશને હાઇ એલર્ટ પર રાખ્યો હતો.  દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આ નિર્ણય પહેલા જ […]

Continue Reading

અયોધ્યા: પાકિસ્તાનને ભારતનો ઠપકો, આતંરિક મામલે બેજવાબદારી ભર્યું નિવેદન ન કરે

ભારતે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનની નાપાક પ્રતિક્રયાની આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે આ મામલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો સિવિલ મેટર પર નિર્ણય ભારતનો આતંરિક મામલો છે. મંત્રાલયે જણાવ્યું કે અમે સિવિલ મેટર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનના અયોગ્ય અને પાયાવિહોણા નિવેદનને ફગાવી રહ્યા છીએ, આ સિવિલ મેટર ભારતનો આતંરિક મામલો […]

Continue Reading

24 નવેમ્બરે અયોધ્યા જઈશ, નિર્ણયનું સમ્માન કરીએ છીએ: ઉદ્ધવ ઠાકરે

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્વાગત કર્યું છે. તેમણે શનિવારે કહ્યું કે, એક લાંબા વિવાદની સમાપ્તિ થઈ છે. અમે પહેલાં અયોધ્યા ગયા હતા અને પૂજા પણ કરી હતી અને 24 નવેમ્બરે હું જરૂર અયોધ્યા જઈશ. અમે નિર્ણયનું સમ્માન કરીએ છીએ. દરેક લોકો નિર્ણયથી ખુશ છે. આજનો દિવસ હિંદુસ્તાનના ઈતિહાસમાં અલગ દિવસ […]

Continue Reading

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો, વિવાદિત જમીન રામલલ્લાને

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં પાંચે પાંચ જજોની હાજરીમાં ઐતિહાસિક અયોધ્યા વિવાદનો ચુકાદો વાંચી સભળાવ્યો હતો. તેણે કહ્યું કે આ ચુકાદો પાંચે પાંચ જજોની સર્વાનુમતીથી તૈયાર કરાયો હતો. આરંભે સુન્ની-શિયા વિવાદમાં શિયા બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. એજ રીતે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દેવામાં આવી […]

Continue Reading

અયોધ્યા કેસ : SCના નિર્ણયને નહીં પડકારે સુન્ની વક્ફ બોર્ડ, રિવ્યુ પિટિશન પણ દાખલ નહીં કરે

આઝાદ ભારતના સૌથી મોટા અને સંવેદનશીલ કેસની સતત 40 દિવસ સુનાવણી હાથ ધરી આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જે વિવાદીત સ્થળ છે ત્યાં રામ મંદિર બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમના આ પર સુન્ની વક્ફ બોર્ડે જણાવ્યું છે કે તેને અદાલતનો નિર્ણય શિરોમાન્ય છે. તે આ […]

Continue Reading

દેશનાં નામે PM મોદીનું સંબોધન, કહ્યું – વિવિધતામાં એકતા સમજવા આજનાં દિવસનો ઉલ્લેખ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા પર ચુકાદા બાદ શનિવાર સાંજે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યા પર કૉર્ટે ફેંસલો સંભળાવ્યો છે,જેની પાછળ સેંકડો વર્ષોનો એક ઇતિહાસ રહ્યો છે. આખા દેશની ઇચ્છા હતી કે આ મામલે અદાલતમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ચુક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, “દશકો સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયા […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે BJPને આપ્યું સરકાર બનાવવા આમંત્રણ, 11 નવેમ્બર સુધી પાડવો પડશે ‘ખેલ’

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ભાજપને 11 નવેમ્બર સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં 13મી વિધાનસભાનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. જો કે અત્યાર સુધી રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. ઉલ્લેખનીય છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારનાં […]

Continue Reading

નિર્ણયની ઘડી: અયોધ્યા જમીન વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો.  જો કે શનિવારે આ નિર્ણયની ક્ષણ આવી પહોંચી છે. શનિવાર, એટલે કે 9 […]

Continue Reading

2000ની નોટો ચલણમાંથી દુર કરવી જોઈએ, પૂર્વ નાણા સચિવનુ સરકારને સૂચન

દેશના લોકો 2016ની નોટબંધીને જોઈ ચુક્યા છે. આજે આ નિર્ણયને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે સરકારમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ નાણા સચિવે 2000ની નોટો ચલણમાં રાખવાનો કોઈ અર્થ નથી તેવુ સૂચન સરકારને કર્યુ છે. વીઆરએસ લેનારા પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગનુ કહેવુ છે કે, ભવિષ્યમાં 2000ની નોટ સરકાર ચલણમાંથી દુર કરી શકે છે. સુભાષચંદ્ર ગર્ગે […]

Continue Reading

મેદાન પર રોહિત શર્માએ ગુમાવ્યો પિત્તો, થર્ડ અમ્પાયરને આપી ગાળો

બાંગ્લાદેશ સામે રાજકોટમાં રમાયેલી બીજી ટી 20માં ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને જીત અપાવી હતી. જોકે રોહિત શર્મા બેટિંગની સાથે સાથે મેદાનમાં બનેલી એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયો છે. રોહિત શર્માએ થર્ડ અમ્પાયરના એક નિર્ણય પર મેદાન પર પિત્તો ગુમાવ્યો હતો અને થર્ડ અમ્પાયરને ગાળો આપી હતી. જેનો વિડિયો ક્રિકેટ ચાહકોમાં […]

Continue Reading