વાયુ / વાવાઝોડાએ ફરી દિશા બદલતાં કચ્છમાં ત્રાટકવાનો ભય, હવામાન વિભાગે કરી આગાહી

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક પછી વાયુ વાવાઝોડું ફરી કચ્છના સમુદ્ર કિનારે પહોંચશે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ […]

Continue Reading

વાવાઝોડાએ ફરીથી બદલી દિશા,ગુજરાતમાં ફરીથી આવવાની સંભાવના

અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે. આગામી 17 અને 18 તારીખે કચ્છના દરિયાકિનારે વાયુ […]

Continue Reading

સોમનાથ પંથકમાં 24 કલાકમાં 6 ઇંચ, મંદિર નજીક દુકાનોમાં પાણી ભરાયા, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી

વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે […]

Continue Reading

ડિસેમ્બર સુધી અમિત શાહ જ સંભાળશે BJP અધ્યક્ષ પદની કમાન

ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ હોવાના કારણે પાર્ટી કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પાર્ટીના નવા અધ્યક્ષને લઇને અટકળો તેજ બની ગઇ હતી. જો કે ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 50 ટકા રાજ્યના સંગઠનની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ સંભાવના છે. […]

Continue Reading

સ્ટોપ લાઈનથી 8 ફૂટમાં 3 સેકન્ડ સુધી વાહન ન આવે તો સિગ્નલ રેડ થશે, બાજુની લાઈનને ગ્રીન સિગ્નલ

એક તરફ સિગ્નલ ચાલુ હોય પણ કોઇ વાહનની અવરજવર ન હોય તો પણ અન્ય વાહનચાલકોએ રોકાઈ રહેવું પડે છે. આ સ્થિતિ નિવારવા મ્યુનિ.એ પ્રાયોગિક ધોરણે 10 સિગ્નલ સેન્સર આધારિત બનાવ્યા છે. આ ઉપરાંત વાહન પસાર થવા માટે સિગ્નલ પરના સમયમાં રહેલી કેટલીક વિસંગતિ દૂર કરવા મ્યુનિ.એ નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં અમદાવાદમાં […]

Continue Reading

ગુજરાતને હાશકારો : વાયુનો રૂટ બદલાયો, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું વાયુને લઈને ગુજરાત માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે રાત્રે વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાથી હવે ગુજરાત પર ત્રાટકશે નહીં અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ ફંટાયું છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને વધુ આદેશ ના મળે ત્યાં સુધી સ્ટેન્ડબાય રહેવા સુચના આપી છે. વાયુ વાવાઝોડું […]

Continue Reading

‘હાર્દિકને માત્ર હોટેલની ખબર છે કે જ્યાં સીડી બનાવવી શક્ય છે’, એક ટ્વીટ પર લોકોએ કર્યો ટ્રોલ

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા એએન-૩૨ વિમાનનો કાટમાળ અરૂણાચલના સિયાંગમાં મળી આવ્યો છે, જોકે કોંગ્રેસમાં જોડાયેલા અને પોતાનું અસત્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા હાર્દિક પટેલે કંઈ જાણ્યા-સમજ્યા વિના ફિલ્મી સ્ટાઈલમાં એવું ટ્વિટ કર્યું હતું કે, ‘ચીન મુર્દાબાદ થા ઓર મુર્દાબાદ રહેગા. ચીન હમારા વિમાન ઓર જવાન વાપિસ કરે. મોદી સાહબ ચિંતા મત કરો, હમ સબ […]

Continue Reading

‘વાયુ’ વાવાઝોડાને લઈ સ્કાયમેટે આપ્યા રાહતના સમાચાર . હવે આ જગ્યાએ બતાવશે રૌદ્ર સ્વરૂપ

રાજ્યમાં વાયુ વાવઝોડુ ફંટાયુ હોવાનો દાવો ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામા આવી છે. એજન્સીનો દોવા છે કે, વાયુ વાવઝોડું ઓમના તરફ આગળ વધી રહ્યુ છે. જેથી વાયુની દિશા બદલાઈ છે. જેથી રાજ્યમાં વાયુ વાવઝોડીની અસર ઓછી નહીં વર્તાય. પરંતુ રાજ્યના દરિયા કાંઢાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય […]

Continue Reading

ચક્રાવાત ‘વાયુ’ની આફત હજી ટળી નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો અનુભવાયો

ચક્રાવાત ‘વાયુ’ને લઇને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એલર્ટ છે. તંત્ર પણ સ્થિતીને પહોંચી વળવા સજ્જ થયું છે. હજી ચક્રવાત ‘વાયુ’ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું નથી ત્યાં અંબાજીમાં ભુકંપનો આંચકો આવ્યો છે. આ ભુકંપની તિવ્રતા 2.3ની નોંધવામાં આવી છે. આ ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દુર નોંધયું છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ અમદાવાદ સહિત ઉત્તર […]

Continue Reading

‘વાયુ’ વાવાઝોડુ: છેલ્લી સ્થિતિ કેવી છે?

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવેશી રહેલ વાયુ વાવાઝોડાની ઝડપમાં વધારો થયો છે અને વેરાવળથી દ્વારકા વચ્ચે કલ્યાણપુરથી પ્રવેશે તેવી શક્યતા છે. વાવાઝોડાની તીવ્રતા 150 થી 165 કિ.મી.ની રહેવાની સંભાવના છે જેને ધ્યાને લઇને રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે સવારથી વાયુ વાવાઝોડા સંદર્ભે […]

Continue Reading