ઇશરત જહા કેસમાંથી અમને મુક્ત કરો: વણઝારા, અમીન

ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મૂકવા કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે CBIને એવો નિર્દેષ આપ્યો હતો કે, અધિકારીઓ સામે કાર્યવાહી કરતા પહેલાં સીબીઆઇએ રાજ્ય સરકારની કોઇ મંજૂરી મેળવી હતી કે નહીં તેનો અહેવાલ CBI એક મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરે. […]

Continue Reading

ગાંધીનગર GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

સેક્ટર 26માં આવેલી GIDCમાં આવેલી ત્રણ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીનગર ફાયર ફાઈટરની ટીમ હાલ ઘટના સ્થળે છે. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગથી નાસભાગ મચી ગઈ હતી. GIDCમાં આવેલી ઈ-વ્હિકલ અને કેમિકલ બનાવતી એમ બે કંપનીમાં એકાએક આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આગની દુર્ધટનામાં અનેક ઈ-વ્હિકલ બળીને ખાખ થયા છે. આગને કાબૂમાં લેવા માટે કડી […]

Continue Reading

પોરબંદરના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ લઈ જતા નવ ઈરાની ઝડપાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ગુજરાત સહિત દેશની ચારેબાજુની સરહદો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યાં આજે પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પ૦૦ કરોડના ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરીને ૯ ઇરાનીની ધરપકડ કરી છે. પાકિસ્તાનથી આવેલું આ ડ્રગ્સ ઇરાનમાં લઈ જવાનું હતું. ત્રણેય […]

Continue Reading

ગુજરાતની સરહદે સ્ફોટક સ્થિતી? BSFનાં વેસ્ટર્ન કમાન્ડના એડીશનલ ડીજી કચ્છ આવ્યા

છેલ્લા કેટલાક દિવસોથી ભારત-પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતો વધી છે, ત્યારે ગુજરાતની સીમાની સમીક્ષા કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં વેસ્ટર્ન કમાન્ડના વડા એડીશનલ ડીજી બુધવારે કચ્છ આવ્યા હતા. તેમણે ગુજરાત સીમા સુરક્ષા દળનાં આઈજીને સાથે રાખીને ક્રિકમાં હરામી નાળા સહીતનાં સંવેદનશીલ અને વ્યૂહત્મક સ્થળોની મુલાકાત કરી હતી. સામે પાર પાકિસ્તાનમાં સિક્યોરિટીને લઇને સતત […]

Continue Reading

વાગરા : ગ્રામીણ બેન્કમાંથી ખેડૂતના ખિસ્સામાંથી બે ગઠીયા ૫૦૦૦૦/- સેરવી ફરાર

વાગરા ગ્રામીણ બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા ખેડૂતે પૈસાથી હાથ ધોવા પડયા હતા.બે ગઠિયાઓએ ખેડૂતને વાતમાં ભેરવી હજારો રૂપિયા કાઢી લઈ ફરાર થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડયુ હતુ. આ અંગે વાગરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વસ્તીખંડાલી ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા સોક્તભાઈ ઉંમર ઇબ્રાહિમ ભટ્ટી સાથે દુઃખદ […]

Continue Reading

ગુજરાતમાં ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગના ગત 3 દિવસના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. […]

Continue Reading

કલા નગરીમાં કલાકારોને કલા પ્રદર્શિત કરવા ફૂટપાથનો સહારો લેવો પડ્યો

વિશ્વમાં કલાનગરી તરીકે ઓળખાતી વડોદરામાં નિષ્ઠુર તંત્રના પાપે કલાકારોની હાલત કફોડી બની ગઇ છે. વિશ્વને વડોદરાએ અનેક વિખ્યાત કલાકારોની ભેટ આપી છે. આ જ વડોદરામાં એક માત્ર રાહત દરે કલાકારોના માટે ઉભી કરવામાં આવેલી સુવિદ્યા ‘સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી’ તોડી પાડ્યા બાદ નિસહાય બની ગયેલા કલાકારોએ વડોદરાના ફૂટપાથ પર કલાકૃતિનું પ્રદર્શન કરીને અનોખી રીતે વિરોધ […]

Continue Reading

મોડાસાઃ ક્રિકેટ રમવા ગયેલા યુવાનની પાલનપુર નજીકના તળાવમાંથી લાશ મળતા ચકચાર, મોતનું રહસ્ય ઘૂંટાયું

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નજીક સબલપુર ગામમાં રહેતો અતુલ નામનો યુવક રવિવારે સાંજે મિત્રો સાથે નજીકમાં આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. અતુલ નામના યુવકની લાશ પાલનપુર ગામના તળાવમાંથી મળી આવતા પરિવારજનો અને મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. […]

Continue Reading

હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે

બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલુ જ નહિ હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સગીરા સાથે રેપ કેસમાં આસારામને જોધપુરની એક અદાલતે દોષી ગણાવીને આજીવન કેદની સજા સંભળાવી […]

Continue Reading

વિવાદ સર્જાતા એર ઈન્ડિયાએ મોદી-રુપાણીના ફોટોવાળા બોર્ડિંગ પાસ પરત ખેંચ્યા

એર ઈન્ડિયાએ વિવાદ પેદા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની ફોટો વાળા બોર્ડિંગ પાસ ‘પરત’ ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન્સે પહેલાં કહ્યું હતું કે, ફોટો વાળા બોર્ડિંગ પાસ થર્ડ-પાર્ટીની જાહેરાતના સ્વરુપમાં છાપવામાં આવ્યા છે અને જો આ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાશે તો એને પરત ખેંચી લેવાશે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય […]

Continue Reading