મનોહર પર્રિકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તે એકેડમીમાં કથિત ‘શુદ્ધિકરણ’ હવન કરાતા વિવાદ

તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું અને તેમના મૃતદેહને જે કલા એકેડમીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કથિત રીતે એક ‘શુદ્ધિકરણ’ હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા છે. જ્યાર બાદ ગોવા સરકારના મંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે ત્યાં માત્ર હવન કરવામાં આવ્યો છે. શુદ્ધિકરણ જેવું કશું કરવામાં નથી […]

Continue Reading

હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકશે SBI ખાતાધારકો

બેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક […]

Continue Reading

25 માર્ચે ચીન પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે

નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 25 મી માર્ચે તેમના જૂના મિત્ર ચીન પાસેથી મોટી રકમ મળવાની છે. 25 મી માર્ચે ચીન તરફથી પાકિસ્તાનને 2.1 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. જો પાકિસ્તાની રૂપિયામાં વાત કરીએ, તો આ રકમ 29,000 કરોડથી પણ વધુ છે. પાકિસ્તાનની મીડિયા દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. 23 મી […]

Continue Reading

પાંચ વર્ષ લડાઈ કરી સિરિયામાં આતંકી સંગઠન આઇએસનો સંપૂર્ણ ખાત્મો

કુર્દીશ નેત્તૃત્વવાળા દળોએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઇએસ)ની પાંચ વર્ષ જૂની ખિલાફતનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. પૂર્વ સિરિયામાં આઇએસના છેલ્લા ગઢ ઉપર પણ સિરિયન સેનાએ કબજો મેળવી લીધો છે. અમેરિકા સમર્થિત સિરિયન ડેમોક્રેટિક દળોએ બાઘોઝમાં પોતાનો પીળો ધ્વજ લહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક સમય એવો આવી ગયો હતો કે જ્યારે ઇરાક અને સિરિયાના મોટા […]

Continue Reading

નીરવ મોદીના જામીન કોર્ટે ફગાવાયા, 29 માર્ચ સુધી જેલ હવાલે

નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા તેને 29 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. નીરવ મોદીને લંડન સ્થિત હર મેજેસ્ટી પ્રિઝન (એચએમપી) જેલમાં લઈ જવાયો હતો. મોદીને અહીં એક અલગ સેલમાં રાખવામાં આવી શકે છે. જો કે અહીં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેને અન્ય કેદીઓ સાથે સેલમાં રાખી શકાય છે. આ જેલમાં જે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો અને ત્યાર બાદ ભારત દ્વારા કરવામાં આવેલી વળતી સૈન્ય કાર્યવાહીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ખુબ જ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ આ વાતની ટ્વિટર મારફતે જાહેરાત કરી હતી.

Continue Reading

પાકિસ્તાન પર દેવાનો બોજ વધતો જઈ રહ્યો છે.

પાકિસ્તાન પર દેવાનો બોજ વધતો જઈ રહ્યો છે. હવે એવી પરિસ્થિતિ આવી છે કે તેમનાથી આ દેવું પૂરું થઇ રહ્યું નથી. અગાઉ તેણે સાઉદી અરેબિયામાંથી ઉધારનું તેલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ નિરર્થક સાબિત થયો. હવે સરકારે નિર્ણય લીધો છે કે તે બધી સરકારી સંપત્તિઓ વેચશે જેનો ઉપયોગ થઈ રહ્યો નથી. આમાંથી મળેલા […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન JKLF પર લગાવ્યો પ્રતિબંધ

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ પર મોદી સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ઉપર આતંક વિરોધી કાનૂન પ્રમાણે પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રનો આ નિર્ણય અલગાવવાદીઓ ઉપર મોટી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગાવવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે. કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેન્દ્ર સરકારે આજે […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ હુમલાની ઉજવણી કરનાર શખ્સને UAEથી ડીપોર્ટ કરાયો

ન્યૂઝીલેન્ડમાં ગત સપ્તાહે મસ્જિદમાં આતંકી હુમલાની ઉજવણી કરવા બદલ યુનાઈટેડ આરબ અમિરાતે એક કર્મચારીને નોકરીમાં કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં પરંતુ કંપનીએ આ કર્મચારીને દેશમાંથી ડીપોર્ટ પણ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના 28 વર્ષના ગોરા ઉગ્રવાદી બ્રેન્ટન ટેરેન્ટ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ગત શુક્રવારે નમાઝ પઢવા આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 50 લોકોનાં મોત થયા […]

Continue Reading

વર્લ્ડ કપ 2019માં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશેઃ ICC

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રસપ્રદ અને રોમાંચક રહે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓને આપવામાં આવતા સમર્થનને કારણે ભારતે પાકિસ્તાન સાથે રમવાનું ટાળ્યું છે. પરંતુ વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. ભારત-પાકિસ્તાનના બહુચર્ચિત મુકાબલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના સીઈઓ ડેવ રિચર્ડસનને કોઈ ભય […]

Continue Reading