મોટેરામાં બપોરે કેમ છો ટ્રમ્પ, સાંજે આશ્રમમાં ગાંધીદર્શન… ટ્રમ્પ ક્યારે આવશે, શું કરશે, ક્યાં જશે, શું જોશે…

24થી 27 ફેબ્રુઆરી વચ્ચે થશે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ, મોટેરામાં દિવસમાં યોજાશે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ, મોટેરામાં એક લાખ લોકો એકત્ર કરવાનું લક્ષ્ય, તેમાં વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, NRI જેવા ટ્રમ્પના ફોલોઅર્સને બોલાવાશે. ગાંધી અને સરદારની ઝાંખી દર્શાવાશે. ગરબાથી લઈ કુચીપુડી, ભરતનાટ્યમ, ભાંગડા જેવા સાંસ્કૃતિક નૃત્ય અને કાર્યક્રમની ઝલક દર્શાવાશે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાન OSDની ધરપકડ, CBIએ 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યો

CB(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)Iએ ગોપાલ કૃષ્ણ માધવ નામના એક શખ્સને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ વ્યક્તિ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) છે. સીબીઆઈએ ગોપાલને એ ટેક્સ મામલાને પતાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ગોપાલ કૃષ્ણ માધવની ગુરુવારે મોડી રાતે એક ઓપરેશનમાં ધરપકડમાં કરવામાં […]

Continue Reading

કોરોના વાઈરસથી દુનિયાને સૌથી પહેલા ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત, ચેતવણી માટે પોલીસે નોટિસ ફટકારી હતી

કોરોના વાઈરસ વિશે સૌથી પહેલા દુનિયાને ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે મોત થઈ ગયું છે. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાઈરસના સંકજામાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સમાચાર પર પડદો નાંખવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા, ત્યારે ડોક્ટર વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાઈરસ […]

Continue Reading

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શાંત, 8મીએ મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયો છે. હવે કોઈ પણ પાર્ટી પ્રચાર નહી કરી શકે. પ્રચારનો સમય પૂર્ણ થવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે લખ્યું કે, પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો. મને આમ આદમી પાર્ટીના […]

Continue Reading

કોંગ્રેસના માર્ગે જૂની રૂઢિ પ્રમાણે ચાલ્યા હોત તો આર્ટિકલ 370 નાબૂદ ના થતો: PM મોદી

સંસદના બજેટ સત્રમાં PM મોદી બોલવા ઉભા થયા તો વિપક્ષ તરફથી હોબાળો શરૂ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો, આ જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચે બહેસ થઇ. પીએમ મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે. […]

Continue Reading

વધુ એક મહિલાએ ગણેશ આચાર્ય પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર વધુ એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.  પહેલેથી જ એક મહિલાને જબરજસ્તીથી અશ્લિલ વીડિયો બતાવાવના મામલામાં તેના પર સંકટના વાદળો ઘેરાયેલા છે. બુધવારના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવતા સીનિયર બેકગ્રાઉન્ડ ડાન્સરે જણાવ્યું કે ગણેશ આચાર્યએ 1990માં તેમનું શારીરિક શોષણ કર્યું હતું.  શારીરિક સતામણીનો આરોપ લગાવનારી બેકગ્રાઉન્ડ ડાન્સરે […]

Continue Reading

ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિનો નિર્ણય – ‘ઓલિમ્પિક રાબેતા મુજબ યોજાશે’

ટોક્યો 2020 ઓલિમ્પિક આયોજકોએ ગુરુવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘કોરોના વાયરસની અફવાને અવગણીને ટોક્યો ઓલિમ્પિક તેના નિયત કાર્યક્રમ મુજબ યોજાશે.’ સમિતિએ કોરોના વાયરસને લઈને કોઈ જ ખોટી અફવાહોમાં ના દોરવાઈ જવા જણાવ્યું છે. ચીનમાં ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસ સામે જાપાને પૂરી તૈયારી કરી રાખી હોવાનું ટોક્યો ઓલિમ્પિકના સીઈઓ તોશિરો મ્યુતોએ જણાવ્યું છે. ચીનમાં અત્યાર સુધીમાં […]

Continue Reading

આ દેશમાં ભારતીય પ્રવાસીની ફ્રી એન્ટ્રી બંધ, હવે ફરવા માટે આટલા રૂ. ચૂકવવા પડશે

ભારતના આ પાડોશી દેશે પ્રવાસીઓ માટેની ફ્રી એન્ટ્રી બંધ કરી દીધી છે. હવે અહીં આવનારા પ્રવાસીઓએ ફી ચૂકવવાની રહેશે. ત્યાંની સરકારે નિર્ણય લીધો છે કે ભારતથી આવનારા પ્રવાસીઓએ પ્રતિદિન 1200 રૂપિયા ફી આપવાની રહેશે. આ ફી માત્ર ભારત નહીં બલ્કે માલદીવ, બાંગ્લાદેશના પ્રવાસીઓએ પણ આપવાની રહેશે. આ ફી જુલાઈ 2020થી લાગૂ થશે. આ ફીને સસ્ટેનેબલ […]

Continue Reading

નિર્ભયા કાંડ: આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે, બુધવારે હાઇકોર્ટ નિર્ણય લે એવી સંભાવના

નિર્ભયાના આરોપીઓની ફાંસી પર રોકને પડકારતી અરજી પર દિલ્હી હાઇકોર્ટ આવતી કાલ, બુધવારે નિર્ણય આપી શકે છે. આ મામલે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે તમામ આરોપીઓને અલગ-અલગ ફાંસી આપી શકાય છે. જે આરોપીઓની માફી અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે તેમને ફાંસીએ લટકાવી શકાય છે. આરોપીઓ બચાવ માટે રસ્તાઓ અપનાવતા અલગ-અલગ માફી અરજી […]

Continue Reading

શાહીન બાગમાં ફાયરિંગ કરનાર આરોપી કપિલ AAPનો સભ્ય: પોલીસનો દાવો

દિલ્હીના શાહીન બાગમાં કરાયેલા ફાયરિંગ મામલે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આરોપી કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આરોપીના પિતા પણ આપ સાથે સંકળાયેલા હોવાની માહિતી છે. પોલીસે ખુલાસો કરતા કહ્યું કે પૂછપરછમાં આરોપી કપિલે જાતે જ આ બાબત સ્વીકારી હતી.   પોલીસની ક્રાઇમ બ્રાન્ચ મુજબ કપિલ ગુર્જરના મોબાઇલ ફોન અને તપાસમાં જાણવા […]

Continue Reading