CAA: મેરઠમાં No Entry, રાહુલ – પ્રિયંકા ગાધીની કાર દિલ્હી માટે Return

CAAની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન મેરઠમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુલાકાત માટે જઇ રહેલાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મંગળવારે પોલીસે તેમને રોકી દીધા. બંને નેતા એક જ કારમાં સવાર હતા. મેરઠમાં એન્ટ્રી પહેલાં જ જિલ્લાની બોર્ડર પર પોલીસે તેમને રોકી દીધા. પોલીસે કાયદા-વ્યવસ્થાનો હવાલો આપી બંને નેતાઓને રોકયા, ત્યારબાદ બંનેએ પોતાની […]

Continue Reading

માતા -પુત્રના પ્રેમે જીતી લીધા લોકોના દિલ, કોંગ્રેસ સત્યાગ્રહની આ તસ્વીર થઈ વાયરલ

દેશમા મોદી સરકાર દ્વારા લાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ સત્યાગ્રહ કર્યો હતો. તેમજ બંધારણના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજધાટ પર કોંગ્રેસના સત્યાગ્રહની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. જેની બાદ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ બંધારણની પ્રસ્તાવના […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા પરિણામ: કોંગ્રેસ-JMMના ગઠબંધને બહુમતી મેળવી, ભાજપને ધોબી પછાડ

મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બને તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ આ અગાઉ પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 24 અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ત્રણ, આજસૂ ચાર અને અન્ય ચાર પર લીડ કરી રહ્યાં છે. ઝારખંડમાં સોમવારે વહેલી સવારથી જ વિધાનસભાની 81 બેઠકો માટે […]

Continue Reading

મિસ્ટર વડાપ્રધાન શું તમે અમને બધાને મારી નાખવા માગો છો?: પ્રકાશ રાજ

બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.  Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you […]

Continue Reading

પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની પ્રવાસીઓને દેશ બહાર ફેંકી દેવા જોઇએ: રાજ ઠાકરે

દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર નીતિ વિરુદ્ધ નિવેદન કર્યું છે. શનિવારે રાજ ઠાકરેએ જણાવ્યું કે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસેલા પ્રવાસીઓને ઉઠાવી બહાર દેશ બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેઓ દેશ પર બિનજરુરી બોજા સમાન છે.  મીડિયા સાથે વાતચીતમાં રાજ ઠાકરેએ આકરી […]

Continue Reading

પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી

નાગરિકતા બિલના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરે પોલીસને આ અંકે પત્ર લખીને જાણકારી આપી છે.જેમાં ગંભીરે કહ્યુ છે કે, એક ઈન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન કોલમાં મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે મારી ફરિયાદ નોંધીને […]

Continue Reading

હિંસા થઈ તો નાગરિકતા બિલના વિરોધમાંથી નિકળી જઈશઃ ઓવૈસી

દેશભરમાં નાગરિકતા બિલના વિરોધમાં ભડકેલી હિંસા વચ્ચે મુસ્લિમ આગેવાન અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ મોટુ નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે, અમે વિરોધ દરમિયાન થઈ રહેલી હિંસાની નિંદા કરીએ છે અને જો આ કાયદા સામે હિંસા થઈ તો તેના વિરોધમાંથી હું અલગ થઈ જઈશ.વિરોધ વ્યક્ત કરવો દરેક નાગરિકોનો અધિકાર છે […]

Continue Reading

દેશહિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડે છેઃ PM મોદી

નાગરિકતા બિલ પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે.જોકે પીએમ મોદીએ આ વાત જીએસટી, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નિવેદન, રાજ્યમાં NRC લાગૂ નહી થાય

દેશના કેટલાંક શહેરોમાં નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગૂ નહી કરવામાં આવે જો કે, નાગરિકતા કાનૂનને લઈને નીતીશ કુમારે કોઈ નિવેદન આપ્યું નથી. સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયકનું સમર્થન કરવાના કારણે કેટલાંક વિપક્ષી દળોએ નીતિશ કુમાર અને […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહને આજીવન કેદ

ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ […]

Continue Reading