સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે

નવી દિલ્હી/બેંગલુરુઃ જેડીએસ અને કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યો ગુરૂવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા. મુલાકાત બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે પ્રક્રિયામાં મોડું કર્યું, આ વાત ખરેખર ખોટી છે. મને રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી […]

Continue Reading

કાશ્મીરને ભડકે બાળીશું, સૈન્ય અમારો ટાર્ગેટ : અલકાયદાની ધમકીનો વીડિયો

આતંકી સંગઠન અલ કાયદા ફરી સક્રિય થઇ ગયું છે અને હવે ખુલ્લેઆમ હુમલાની ધમકીઓ આપવા લાગ્યું છે. અલકાયદાએ એક વીડિયો જારી કરીને ધમકી આપી છે કે અમે કાશ્મીરને લઇને જ રહીશું. ઓસામા બિલ લાદેન બાદ અલકાયદાની કમાન આતંકી અયમન અલ જવાહિરીએ સંભાળી છે. અયમન જવાહરીએ કાશ્મીરમાં સક્રીય આતંકી સંગઠનોને કહ્યું છે કે હવે ભારતીય સૈન્ય […]

Continue Reading

જનધન ખાતામાં જમા રકમ રૂપિયા એક લાખ કરોડ: બેન્કો માલામાલ

પાંચ વર્ષ અગાઉ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા રકમ એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઇ છે.નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 3 જુલાઇના રોજ 36.06 કરોડ પ્રધાન મંત્રી જન ધન યોજના(પીએમજેડીવાય) ખાતાઓમાં 1,00,495.94 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું. ઉલ્લેખનીય છે કે 6 જૂનના […]

Continue Reading

ગોવા / બળવાખોર કોંગ્રેસ ધારાસભ્યો આજે PM મોદી, અમિત શાહને મળશે

કોંગ્રેસમાં ‘એક સાંધે તેર તૂટે’ તેવું જોવા મળી રહ્યું છે. પાર્ટી હજી સુધી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાંથી બહાર આવી શકી નથી ત્યાં ગઇકાલે ગોવામાં 10 ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો. ગઇકાલે કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે ગોવામાં 15માંથી કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાયાં. ગોવામાં જે 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયાં તે […]

Continue Reading

રૂપાણી સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પેટે ખર્ચા આટલા કરોડ રૂપિયા, વિધાનસભામાં થયો ખુલાસો

વિધાનસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીનાપ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ 12 કરોડ 66 લાખનો ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે. આ અંગે અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રશ્ન કર્યો હતો કે 31મે 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ […]

Continue Reading

જુનાગઢ: મનપા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત લેવા બાબતે રેશ્મા પટેલને ધમકી મળી, પોલીસ રક્ષણ આપવા માગ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે જુનાગઢનું રાજકારણ ગરમાતુ જાય છે.આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના વોર્ડ નંબર 13ના ઉમેદવાર ધરમન ડાંગરનો ભાઈ વિનુ અને તેમનો પુત્ર કાનો એનસીપી કાર્યાલયે આવ્યા હતા. વોર્ડ નંબર 13 ના ઉમેદવાર દિવ્યાબેન સાવરાણીને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવા ધમકી આપી હતી, એવો રેશમાં પટેલે […]

Continue Reading

કુપોષણ દૂર કરવા બાળકને ત્રણ રૂપિયાની કિંમતનો લાડુ ખવડાવવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછાયા હતા. જેનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ આપ્યો હતો. એક તબક્કે તેઓએ એવું કહ્યું હતું કે કુપોષણવાળા બાળકો શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પરંતુ તેને બદલે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો એવો શબ્દનો […]

Continue Reading

ગુજરાતને કુપોષણ મુક્ત કરવા સૌ સાથે મળીને કામ કરે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોના પ્રશ્નના ઉત્તરમાં ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સમાજને કુપોષણથી મુક્ત કરવાના પ્રયાસને ઝૂંબેશ સ્વરૂપે વેગ આપવવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજના પાયાની વાત છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન ઉપાડવામાં આવે તે જરૂરી છે. તેમણે […]

Continue Reading

મહાત્મા ગાંધી-સરદાર પટેલ જયંતી વચ્ચે 150 કિમીની પદયાત્રા યોજવા ભાજપ સાંસદોને PMનો નિર્દેશ

પોતાના મતવિસ્તારમાં ‘પદયાત્રા’ કરવા કહ્યું છે. આ પદયાત્રા દરમિયાન સાંસદોને પ્રત્યેક બૂથના સિનિયર નાગરિકો સાથે વાતચીત અને ગ્રામિણ અર્થવ્યવસ્થા પર મહાત્મા ગાંધીના વિચારોને પ્રચારિત કરવાના રહેશે. આ પદયાત્રા ગાંધી જયંતી 2જી ઓક્ટોબર અને સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી 31 ઓક્ટોબર વચ્ચે યોજવામાં આવશે. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, […]

Continue Reading

નવજોત સિંઘ સિધુ કામ કર્યા વગર પગાર-ભથ્થાનો આનંંદ ઉઠાવી રહ્યા છે: ભાજપા

પંજાબ કોંગ્રેસમાં મંત્રી નવજોત સિંઘ સિધુ અને સીએમ અમરિન્દર સિંઘ વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધમાં હવે ભાજપાએ પણ નવજોત સિંઘ પર ઘરબેઠા પગાર ખાવાનો આરોપ લગાવ્યો છે. કેબિનેટમાં વિભાગ બદલાયા પછી લગભગ એક મહિનાથી નવજોત સિંઘ સિધુએ ફાળવેલા ખાતાનો કાર્યભાળ સંભાળ્યો નથી, જે મામલે ભાજપાએ વાંધો ઉઠાવ્યો છે. પંજાબ સરકાર અને નવજોત સિંઘ સિધુ પર […]

Continue Reading