પાકિસ્તાન સ્થિત ભારતના હાઇકમિશ્નર ભારત આવવા રવાના

પાકિસ્તાને ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અજય બિસારિયા ઈસ્લામાબાદથી લાહૌર રવાના શઇ ચૂક્યા છે. તેઓ વાઘા અટારી બોર્ડર પરથી ભારત આવશે. પાકિસ્તાન સરકારે બુધવારે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય અને દ્વિપક્ષીય સંબંધોમાં રોકવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ બેઠક બાદ કહ્યું કે, અમારા રાજદૂત […]

Continue Reading

સ્મૃતિ ઈરાનીએ નિભાવ્યો વાયદો, અમેઠીની જનતાને આપી ભેટ

અમેઠીથી સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને કરેલા દરેક વાયદા પૂરા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર ફરી આવતા અમેઠી વિકાસને નવા નવા પરિણામો મળવા શરૂ થઇ ગયા છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે એમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે, તેઓ ત્યાં શિક્ષણ વધારવા માટે એક કેન્દ્રિય […]

Continue Reading

કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રહેશે : પાક વિદેશ પ્રધાન

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના અધિકારને નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન એક પછી એક અંધાધૂંધ નિર્ણયો દ્વારા ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યું છે. તણાવની પરિસ્થિતિમાં ભારત માટે રાહતના સમાચાર એ છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રાખશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું […]

Continue Reading

કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે : અધિર રંજન

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર અંગે ફરી એક વખત નિવેદન આપ્યું છે જેના પર વિવાદ થઇ શકે છે. ચૌધરીએ કાશ્મીરની સરખામણી નાઝી કેમ્પ સાથે કરતા જણાવ્યું કે, કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે. તેમણે અમરનાથા યાત્રાને રોકવા અંગે સવાલ ઉભા કરતા જણાવ્યું કે, હજારો હિન્દુઓની યાત્રા આખરે કેમ રોકવામાં આવી […]

Continue Reading

પાકિસ્તાની ડ્રાઈવરે સમજૌતા એક્સપ્રેસ ચલાવવા ના પાડી તો ભારતે એન્જિન-ડ્રાઈવર મોકલ્યા, ટ્રેન પાછી લાવ્યા

સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. પાકિસ્તાનના રેલવે ક્રૂ અને ગાર્ડે ભારત આવવાનો ઈનકાર કરતા સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનમાં રોકી દેવામાં આવી હતી. બાદમાં ભારતે ટ્રેનના એન્જિન સાથે રેલવે ક્રૂ અને ગાર્ડ મોકલ્યા હતા. આ ટ્રેનમાં 110થી વધારે મુસાફરો હતા. પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી બુધવારે ભારત સાથે […]

Continue Reading

આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે, સપાટી 131 મીટર રૂલ લેવલ નજીક પહોંચી

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને નર્મદા ડેમની જળરાશીની આવકમાં 64,662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક માત્ર 5230 ક્યુસેક પાણી છે જેથી દર કલાકે 2 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેથી આજે રાત્રે 1 વાગ્યાથી નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોને […]

Continue Reading

પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત કરાયા, નાનાજી અને ભૂપેન હઝારીકાને મરણોપરાંત આ સન્માન મળ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખ વતી આ સન્માન સ્વીકાર્યુ છે. ભૂપેન હઝારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મુખર્જી આ સર્વોચ્ચ નાગરિક […]

Continue Reading

370નો ઉપયોગ પાકિસ્તાને આતંકવાદ વધારવામાં કર્યો, કાશ્મીરીઓનો વિકાસ એ સમગ્ર દેશની જવાબદારી-PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી. મોદીના ભાષણના અંશ મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ છે, કેસ ચલાવો : CBI

ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઈએ બુધવારે કોર્ટને જણાવ્યું કે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, ષડયંત્ર અને ધમકી આપવાના આરોપો સાબિત કરવા માટેના પૂરતા પુરાવાઓ મળી ગયા છે. તપાસ એજન્સીએ પીડિતાના નિવેદનના આધારે દાવો કર્યો છે કે સેંગર વિરુદ્ધ આ આરોપો હેઠળ કેસ આગળ ચાલાવી શકાય તેમ છે. ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ધર્મેશ શર્માની કોર્ટમાં […]

Continue Reading

શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદ ઉકેલાયો છે : ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કેન્દ્ર સરકાર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદનો ઉકેલ લાવી શકાય છે. કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં બહુમત સાથે પસાર […]

Continue Reading