ઉન્નાવકાંડમાં ફજેતીના ડરથી ભાજપે કુલદીપ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો

ઉન્નાવ કેસમાં ચારે તરફથી બદનામી થયા બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્પષ્ય કર્યું છે કે, આરોપી કુલદીપસિંહ સેંગરને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે અને એ સસ્પેન્ડ રહેશે. ઉન્નાવ મામલામાં વિપક્ષે મંગળવારે સંસદથી રોડ સુધી ભાજપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મંગળવારે સમાજવાદી […]

Continue Reading

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આપેલી ખાતરીનું પાલન નહી થતા પાસપોર્ટ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં

અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરની પાસપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની વર્ષોજૂની માગણીના સંદર્ભમાં હવે લડી લેવાના મૂડમાં આવ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે થોડા સમય પહેલા મીટીંગ થઇ હતી. જેમાં તેઓએ કર્મચારી અને અધિકારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાની તેમજ સમાધાન માટેની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ […]

Continue Reading

કોહલીને કેપ્ટનપદે ચાલુ રાખવા માટે ગાવસ્કરને વાંધો, માંજરેકરે કહ્યું- ટીમ વિશ્વકપમાં ખરાબ નથી રમી

સુનીલ ગાવસ્કરે વિશ્વકપ બાદ પણ ત્રણેય ફોર્મેટમાં કોહલીને કેપ્ટન બનાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન હોવા જોઇએ . તેના જવાબમાં પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર સંજય માંજરેકરે કોહલીના બચાવમાં આ નિવેદનથી અસહમતી દર્શાવી છે. માંજરેકરે ટ્વિટ કર્યું, ‘હું ખૂબ સન્માન સાથે સિલેક્ટર્સ અને વિરાટ કોહલીને કેપ્ટન બનાવી […]

Continue Reading

વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, હજારો લોકોએ અશ્રુભીની વિદાય આપી, પુત્ર જયેશે મુખાગ્નિ આપી

રાજકોટ: પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો […]

Continue Reading

ડોપીંગમાં દોષિત સાબિત થતાં ભારતીય ઓપનર પૃથ્વી શૉ આઠ મહિના માટે સસ્પેન્ડ

યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉને બીસીસીઆઇએ આઠ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. ડોપીંગ ટેસ્ટમાં દોષિત સાબિત થતા તેને દરેક ફોર્મેટમાં સસ્પેન્ડ કરી દેવાની જાહેરાત બીસીસીઆઇએ કરી હતી. શૉ સિવાય વિદર્ભથી રમતા ડોમેસ્ટિક ક્રિકેટર અક્ષય દુલારવાર અને રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ આ નિયમમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૃથ્વી શૉનું સસ્પેન્શન માર્ચ 16 , 2019 થી નવેમ્બર […]

Continue Reading

સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતીય જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં આર્મીએ 2 પાકિસ્તાની જવાનને ઠાર કર્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરહદ પર મંગળવારે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં ભારતીય જવાન નાઈક કૃષ્ણલાલ શહીદ થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ને આર્મીએ ઠાર કર્યા હતા. પાંચ મહિનામાં 1170 વખત […]

Continue Reading

ખરડો પસાર કરાવીને ભાજપે રાજનીતિની ટ્રિપલ સ્ટ્રેટેજીમાં માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો

અમદાવાદ: 2019ની ચૂંટણી પહેલાં કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘મોદીનો મુકાબલો કરી શકે એવો દેશમાં બીજો કોઈ નેતા નથી’. ઓમર અબ્દુલ્લાએ હતાશામાં કહ્યું હોય કે પછી વ્યંગમાં કહ્યું હોય, પણ તેમાં રહેલું સત્ય મંગળવારે સાંજે સાત વાગ્યે વધુ એકવાર છતું થઈ ગયું. NDA.01થી બનાવેલું લક્ષ્ય આખરે NDA.02માં પાર પાડતાં ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો […]

Continue Reading

આજે વિઠ્ઠલ રાદડિયાની અંતિમયાત્રામાં દોઢથી બે લાખ લોકો સ્વયંભુ ઉમટી પડશે

સૌરાષ્ટ્રના ગણાતા વિઠ્ઠલ રાદડિયા ગઈ કાલે સવારે નિધન થયું છે સ્વર્ગસ્થની અંતિમયાત્રા આવતીકાલે સવારે તેમના જામકંડોરણા ખાતેના નિવાસસ્થાનેથી નીકળવાની છે. વિઠ્ઠલ રાદડિયા જમીની નેતા હતા તેમની પાસે સમસ્યા લઈને આવતા લોકોનું સમાધાન તેઓ કરતા હતા એટલું જ નહીં જ્યારે જરૂર પડે ત્યારે તેઓ ગમે તેની સાથે પણ ઝઘડી પડતા અચકાતા ન હતા. તેઓ ક્યારેય ખોટું […]

Continue Reading

તમારા બળાત્કારનો આરોપી બીજેપી નેતા હોય તો સવાલ ન પૂછવા: રાહુલનો કટાક્ષ

ઉન્નાવ રેપ કેસની પીડિતાના અકસ્માતમાં બીજેપી નેતા કુલદીપ સેંગર અને તેના ભાઇ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પીડિતાના કાકાએ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાને ષડયંત્ર ગણાવીને વખોડી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાની ખરાબ હાલતનો દાવા કરતા હાઇ કોર્ટને આ મામલે તપાસ ચલાવવા અપીલ કરી હતી. પાર્ટીના મુખ્ય […]

Continue Reading

પાકિસ્તાને 72 વર્ષ પછી સિયાલકોટ પ્રાચીન હિન્દુ મંદિર ફરી ખોલ્યું

પાકિસ્તાનના સિયાલકોટમાં આવેલું 1000 વર્ષ પ્રાચીન હિન્દૂ મંદિર લોકો માટે ફરી ખોલવામાં આવ્યું છે. આ મંદિર 72 વર્ષ પહેલાં બંદ કરાયું હતું. આ મંદિરને વિભાજન દરમિયાન બંદ કરાયું હતું અને એનું નિર્માણ સરદાર તેજાસિંહે કર્યું હતું. શાવલા તેજાસિંહ મંદિર લાહૌરથી લગભગ 100 કિલોમીટર દૂર ધારુવાલ ખાતે આવેલું છે. વર્ષ 1992માં ભીડે આ મંદિરને નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading