પ્રિયંકા ગાંધી : તમારો વોટ એક હથિયાર છે.

કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ વખત ગાંધી આશ્રમ અને ગુજરાતની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં આપેલા વક્તવ્ય દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ન લીધું. પરંતુ આકરા રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અનેક મુદ્દાઓ ઉછળશે પરંતુ આ સંજોગોમાં આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. તમે જાગરુક થાવો […]

Continue Reading

કોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે.

કોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે. 2014માં ચૂંટણીમાં વાયદાઓ નરેન્દ્ર મોદીએ પૂરા ન કર્યા હોવાનો આરોપ લગાવીને એક બાદ એક હુમલા કર્યા હતા. જેમાં રાફેલ મુદ્દે પણ પ્રધાનમંત્રીને વાયુસેના 30 હજાર કરોડની ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.ગુજરાતમાં પહેલીવાર ગાંધી પરિવારના 3 સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જનસંકલ્પ રેલી યોજી હતી. […]

Continue Reading

અમારી પાર્ટી એકપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે : માયાવતી

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કરવા માટે મોટા ઉપાડે રચવામાં આવેલા મહાગઠબંધનને કોઇની નજર લાગી હોય તેવું દેખાઇ રહ્યું છે. બીએસપી પ્રમુખ માયાવતીએ મંગળવારે એક નિવદેન આપતા જણાવ્યું હતું કે અમારી પાર્ટી એકપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. જેના જવાબમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે અમને તેમની જરૂર નથી. માયાવતીએ […]

Continue Reading

હાર્દિક એ પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી – નીતિન પટેલ

પાટીદારોને અનામત અપાવવા આંદોલન કરનારા પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિકને ખેસ પહેરાવી કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી. ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો છે. ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઊભો કરી ગુજરાતની શાંતિ-સલામતીને ડહોળી. પોતાની જાતને […]

Continue Reading

આચારસંહિતા અમલી થતા 8 હજારથી વધુ બેનર-પોસ્ટર-ઝંડા ઉતારી લેવાયા

લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બની જતાં જ મેયર સહિતનાં હોદ્દેદારોની ૧૭ જેટલી મોટરકાર મ્યુનિ.માં જમા કરાવી દેવામાં આવી હતી. તો બીજી બાજુ રાજકીયપક્ષોનાં બેનર-પોસ્ટર વગેરે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા મુજબ, સ્થાનિક સ્વરાજની સંસ્થાનાં હોદ્દેદારો મોટરકારનો નિયમ મુજબ ઉપયોગ કરી […]

Continue Reading

સુરતમાં આચારસંહિતાના અમલ માટે શહેર-જિલ્લામાં 48 ફ્લાઈંગ સ્ક્વોડ મેદાનમાં ઉતારાઈ

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની જાહેરાત સાથે જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ૪૮ ફલાઇંગ સ્કવોડને તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે સુરત કલેકટરાલય ખાતે લોકસભા ચુંટણી સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાતાઓ મુકત અને ન્યાયી માહોલ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને […]

Continue Reading

વિદેશી દાન ૪૦% ઘટયું, મોદી રાજમાં બોગસ NGO થયા ઓછા

નવી દિલ્હી તા. ૧૨ : નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને વિદેશથી મળતા ડોનેશન નરેન્દ્ર મોદી સરકારની સખતીથી તેમાં છેલ્લા ચાર વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટમાં કનિદૈ લાકિઅ આ જાણકારી આપવામાં આવી છે. વિદેશી કન્સલ્ટન્સી ફર્મ બેન એન્ડ કંપનીના એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૩ હજારથી વધુ કનિદૈ લાકિઅ એનડીઓના લાઇસન્સ અકિલા […]

Continue Reading

નોટબંધીના અમલ માટે મોદી સરકારે જે પણ કારણો રજૂ કર્યા હતાં તેની સામે આરબીઆઇની બોર્ડ મિટિંગમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

નોટબંધીનો અમલ કરી ભારતીય અર્થતંત્રને ખાડામાં ઉતારવાનો આરોપ મૂક્તા કોંગ્રેસે આજે જણાવ્યંલ છે કે આરટીઆઇ હેઠળ મળેલા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે નોટબંધીના અમલ માટે મોદી સરકારે જે પણ કારણો રજૂ કર્યા હતાં તેની સામે આરબીઆઇની બોર્ડ મિટિંગમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના મુખ્યમથક ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન […]

Continue Reading

માસ્ટરમાઇન્ડ મુદ્દસિર ખાન સહિત પુલવામા હુમલાના ત્રણ આતંકી ઠાર

૧૪મી ફેબુ્રઆરીએ સમગ્ર દેશને હચમચાવી દેનારા પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ સહીત ત્રણ આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે. દક્ષીણ કાશ્મીરના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે થયેલા ગોળીબારમાં આ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ખુંખાર આતંકી મુદસિર અહેમદ ખાન પણ સામેલ હતો. મુદસિર ખાને જ પુલવામા હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો તેવા અહેવાલો છે. […]

Continue Reading

રાપરનાં ધારાસભ્યનું રાજીનામુ વધુ એક ખરાબ સમાચાર કૉંગ્રેસ માટે

ગુજરાતમાં આજે કૉંગ્રેસની CWCની બેઠક યોજાવવા જઇ રહી છે. 58 વર્ષ બાદ કૉંગ્રેસ ગુજરાતમાં CWCની બેઠક યોજી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવ્યા છે. ત્યારે એક વધુ ખરાબ સમાચાર કૉંગ્રેસ માટે આવ્યા છે. કૉંગ્રેસનાં રાપરનાં ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું છે. રાપરનાં કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન એરઠીયાએ રાજીનામુ […]

Continue Reading