દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરાશે

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરૂણ જેટલીનું સન્માન કરવા માટે અરૂણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ ૧૨ સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. દિલ્હીના કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. DDCAના અધ્યક્ષે આ પહેલ અંગે વાત કરતાં […]

Continue Reading

પાકિસ્તાન સેનાએ જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામનું કર્યુ ઉલ્લંઘન

પાકિસ્તાન અને તેની સેના બોખલાઈ ગઈ છે. અને અવારનવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં રાજૌરી જીલ્લામાં ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ મંગળવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. અને ભારે ફાયરિંગ કર્યું છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપી રહી છે. જાણકારી મુજબ, […]

Continue Reading

નર્મદા : સરદાર ડેમની સૌ પ્રથમવાર 133.97 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત […]

Continue Reading

હવાઈ મુસાફરીમાં હવે આ કંપનીના લેપટોપ પ્લેનમાં નહીં લઈ જઈ શકાય

હવાઇ મુસાફરી કરનારા લોકો માટે અગત્યના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એપલ મેકબુક (Apple MacBook)ના કેટલાક મોડલ્સના લેપટોપને લઇ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને લઇને DGCAનું કહેવું છે કે, એપલના આ લેપટોપમાં ઓવર હીટિંગની સમસ્યા છે જેના કારણે આગ લાગવાનો ખતરો રહે છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પાણીના બિલના નાણાં માફ કરી દિલ્હીવાસીઓને ભેટ આપી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. તેમણે દિલ્હીની જનતાને પાણીના બિલના બાકી નાણાં માફ કરી દેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી બિલ પરથી એરિયર હટાવી લેવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ફંક્શનલ મીટર છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત જે લોકો 30 નવેમ્બર સુધીમાં પોતાના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી

વિદેશ પ્રવાસથી મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પોતાના સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના પરમ મિત્રને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેટલીના નિધન સમયે તેઓ વિદેશમાં હતા જેથી તેમની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપી શક્યા નહતા. પોતાના મિત્રનું નિધન થયું હોવાના સમાચાર સાંભળતા જ તેમણે બહરીનમાં જેટલીને યાદ […]

Continue Reading

એક, બે નહી પૂરા 12 દેશમાં ચિદમ્બરમના બેન્ક એકાઉન્ટ છે

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના એક, બે નહી પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, […]

Continue Reading

જૈશ એ મુહમ્મદ રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવે છે: ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને માહિતી આપી

પાકિસ્તાનમાં વડું મથક ધરાવતી આતંકવાદી સંસ્થા જૈશ એ મુહમ્મદ હાલ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોને ભારત વિરોધી ભડકાવીને આતંકવાદી તાલીમ આપી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્રના ગૃહ ખાતાને આપી હતી. બાંગ્લાદેશના હરિનમારા પહાડી વિસ્તારમાં આતંકવાદી તાલીમ શિબિર ચાલી રહી છે. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં અત્યારે હજ્જારો રોહિંગ્યા શરણાર્થીઓ ડેરાતંબુ નાખીને પડ્યા છે. જૈશનો કમાન્ડર સાબિર […]

Continue Reading

ભાજપના પગલે ચાલી મમતાની તૃણમૂલ કોંગ્રેસ, જયશ્રી રામ સામે હર હર મહાદેવ

ભાજપના શ્રી રામના ઉચ્ચારોથી ભડકતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જાણ્યે અજાણ્યે હવે ભાજપના રસ્તે ચાલી રહ્યો જણાય છે. ભાજપના શ્રી રામ સામે ટીએમસીએ હવે હર હર મહાદેવના સૂત્રને અપનાવ્યું હોય એવું લાગે છે. હુગલી વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગઇ કાલે એક નવું શિવાલય શરૂ થયું હતું જેમાં […]

Continue Reading

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ બે સ્થળોએ આભ ફાટ્યું, 6 કલાકમાં 6 ઇંચ વરસાદ

ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 4 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે […]

Continue Reading