દેશમાથી જયા સુધી નાગરિકતા કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ ભાજપને આગ સાથે ના રમવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ જ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ શહેરમા આયોજિત પ્રદર્શન રેલીમા ભાજપ પર વાયદો પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે મંગલુરમા સીએએ વિરુદ્ધ પ્રદશનમા પોલીસ ગોળીબારમા માર્યા […]

Continue Reading

દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે આઈપીએલની ફાઈનલ મેચ

કોલકાતામાં આઈપીએલ ૨૦૨૦ ની હરાજી બાદ લીગને લઈને કવાયત શરુ થઈ ગઈ છે. આઈપીએલ ૨૦૨૦ ના પ્રોગ્રામ, મેચ અને આયોજનથી જોડાયેલ દરેક ગતિવિધિ પર કામ શરુ થઈ ગયું છે. આ હેઠળ સમાચાર મળી રહ્યા છે કે, આઈપીએલ ૨૦૨૦ ની ફાઈનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડીયમમાં રમાશે. પ્રારંભિક જાણકારી મુજબ આઈપીએલ ૨૦૨૦ ટુર્નામેન્ટ આગામી વર્ષે ૧ […]

Continue Reading

નવું ગતકડું આવ્યું, થરાદના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ઢોલ-નગારા લઇને તીડ ઉડાવવા જશે !

બનાસકાંઠા: સરકારના કેટલાક નિર્ણયો ઘણી વખત હાસ્યાસ્પદ અને શિક્ષણ વ્યવસ્થા નબળી પાડનારા હોય છે, આવું જ જોવા મળ્યું છે બનાસકાંઠામાં, અહીના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, તીરના આક્રમણને કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે થરાદમાં તંત્ર દ્વારા તીરના ઉપદ્રવ સામે લડવા આદેશ કરાયો છે, શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ તીડ ઉડાવવાના છે, તેઓ […]

Continue Reading

મોદી સરકારે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આપી મંજૂરી, 4 સ્ટાર જનરલનો મળશે દરજ્જો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)ને મંજૂરી આપવામાં આવી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર ફોર સ્ટાર રેન્કના સૈન્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. તેમને સૈન્ય વિભાગના વડા પણ બનાવવામાં આવ્યા છે. દેશની ત્રણે સેનાઓ સૈન્ય વિભાગ હેઠળ આવશે. સરકાર દ્વારા સીડીએસને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ પદ માટે અત્યાર સુધી કોઈ નામની […]

Continue Reading

મારુતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર સામે રૂ. 110 કરોડના કૌભાંડ બદલ સીબીઆઈએ કેસ કર્યો

મારુતિના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ખટ્ટર વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર મુજબ ખટ્ટર તેમજ તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા રૂ. 110 કરોડના લોન કૌભાંડમાં આરોપી છે. 2015માં કંપનીની લોન એનપીએ જાહેર થઈ હતી ખટ્ટર 1993થી 2007 સુધી મારુતિમાં રહ્યા હતા. 2007માં […]

Continue Reading

રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં સુધારણાને કેબિનેટની લીલીઝંડી, રૂ. 8,500 કરોડ ફાળવ્યા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી પત્રકને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે દેશભરમાં નાગરિકોની માહિતીનું પત્રક તૈયાર કરાશે. જો કે આ પત્રક નાગરિકતાનું પ્રમાણ ગણાશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરી રહી છે. કેબિનેટે એનપીઆર અને […]

Continue Reading

ઝારખંડમાં કોંગ્રેસને લાગશે લોટરી, સ્પીકર સાથે 5 ધારાસભ્યોને મળશે મંત્રીપદ

ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે. ત્યારે હવે જેએએમ, કોંગ્રેસના મહાગઠબંધને સરકાર રચવાની કવાયત શરૂ કરી છે અને આગામી 27 ડિસેમ્બરે જેએમએમના નેતા હેમંત સોરેન રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરી શકે છે. ચૂંટણી પરિણામોમાં જેએમએમ 30 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસના હીરો રહેલા હેમંત સોરેન […]

Continue Reading

ઉદ્ધવ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 30 ડિસેમ્બરે, અજિત પવાર ઉપમુખ્યમંત્રી બને તેવી શક્યતા: રિપોર્ટ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનું પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ 30 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, એક એનસીપી નેતાએ જણાવ્યું કે, આ મંત્રીમંડળના વિસ્તરણમાં અજીત પવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. 29 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 2-2 નેતાઓએ શપથ લીધા હતા. અંદાજે 15 દિવસ પછી […]

Continue Reading

કેજરીવાલનો મોદીને ટોણો, કહ્યું-રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના પાંચ વર્ષોના કાર્યકાળનો અહેવાલ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદ સૌથી ઈમાનદાર સરકાર છે. રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ છે. અમારા કેસમાં સૌથી સારી વાત એ જ છે કે અમારી ઈમાનદારીનું પ્રમાણ અમને વિપક્ષીઓએ જ આપ્યું છે. દિલ્હીમાં ક્યાંય […]

Continue Reading

2017માં રોડ તૂટવાનો મામલો, મ્યુ.કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી, મોટા પાયે નાણાંકીય નુકસાનનો ઉલ્લેખ

વર્ષ 2017માં તૂટેલા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જેમાં મ્યુનિસિપલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ)નો સમાવેશ થાય છે. આ પહેલા 70થી વધુ રોડ તૂટવાની બેદરકારી અંગે વિજિલન્સ તપાસ કરી દોષિત સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. તેમજ તે સમયે(2017) એડિશનલ ઈજનેર તરીકેનો […]

Continue Reading