મોદી છે એટલે જ મોંઘવારી અને બેકારી શક્ય છે: પ્રિયંકા ગાંધી

દિલ્હીમાં કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવવાના મામલાને ઉઠાવીને કહ્યુ હતુ કે, ન્યાયની આશામાં કોર્ટ જઈ રહેલી દીકરીને આરોપીઓએ સળઘાવી દીધી અને તે આખરે મોતને ભેટી હતી.તેના પિતાને રડતા જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ હતી. હું પણ 19 વર્ષની હતી જ્યારે […]

Continue Reading

નારોલમાં 12 વર્ષની બાળા પર ગેંગરેપ, સગીરા સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો […]

Continue Reading

બિન સચિવાલય પરીક્ષા રદ થઈ શકે છે, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. SIT રિપોર્ટના […]

Continue Reading

આવતીકાલથી અમૂલ દૂધ મોંઘુ, ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો, 6 મહિનામાં બીજીવાર ભાવ વધાર્યા

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય […]

Continue Reading

બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસો સળગાવી, સંકરાઇલ રેલવે સ્ટેશન કોમ્પ્લેક્સમાં પણ આગચંપી

નાગરિકતા બિલના વિરોધમાં શનિવારે બંગળાના ઘણા શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ થઇ. કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી દીધી હતી. ઘણા અન્ય વાહનો અને કચેરીઓમાં તોડફોડ કરી. તે સિવાય ભીડે સંકરાઇલ સ્ટેશન કોમ્પ્લેક્સ પર પણ તોડફોડ કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં બે CRPFના જવાનો સાથે પણ મારપીટ કરવામાં […]

Continue Reading

કાશ્મીર મામલે ભારતનો વિરોધ ભારે પડ્યો, બ્રિટનનો આ આખો પક્ષ જ સાથે ઉંધામાથે પટકાયો

અમેરિકા હોય કે પછી દુનિયાનો કોઈ પણ દેશ ભારત અને ભારતીયોને ચારેકોર બોલબાલા છે. ભારતનો વિરોધ કરવાના પરિણામો પણ ભોગવવા પડે છે તેનું તાજુ જ ઉદાહરણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જોવા મળ્યું હતું. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો પરિણામે તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ […]

Continue Reading

UKની સામાન્ય ચૂંટણીમાં પંદર ભારતીયોની શાનદાર જીત : પ્રીતિ પટેલ ફરીથી મંત્રી બનશે

વડા પ્રધાન બોરિસ જોન્સને મેળવેલી ઐતિહાસિક અને ભવ્ય જીત પછી ભારતીય મૂળના પંદર ઉમેદવારો પણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં વિજયી બન્યા હતા.કન્ઝર્વેટિવ અને વિરોધ પક્ષ લેબરમાંથી સાત સાત ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા જ્યારે એક ઉમેદવાર લિબરલ ડેમો ક્રેટસમાંથી વિજેતા બન્યા હતા. લગભગ બારેક સાંસદો તેમની બેઠક પર ફરીથી ચૂંટાઇ આવ્યા હતા તો કેટલાક નવા લોકો પણ […]

Continue Reading

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી?

આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે. તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની […]

Continue Reading

નરાધમોનું આવી બનશે : આ રાજ્યમાં હવે રેપની ઘટના બની તો 21 દિવસમાં જ ફેંસલો

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે દિશા બિલ પાસ કરી દીધું છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ દુષ્કર્મ કેસમાં મૃત્યુની સજાની જોગવાઈ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેમની હત્યા કર્યા બાદ શબને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ નવા બિલને ‘આંધ્ર પ્રદેશ દિશા બિલ 2019’ […]

Continue Reading

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ ગ્રામ્ય કોર્ટે 23 દિવસથી જેલમાં બંધ બન્ને સંચાલિકાઓની જામીન અરજી ફગાવી

હીરાપુરમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી ફગાવી દીધી છે. બંન્નેની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવતા બન્નેની મુશ્કેલીઓ વધી છે. આમ હવે બન્નેને જેલમાં રહેવું પડશે. કોર્ટના અવલોકન મુજબ, આ ગંભીર ગુનો હોવાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં. આશ્રમની આ બન્ને સંચાલિકા આગામી […]

Continue Reading