સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની  હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાનની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે એસઆઈટી સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી. ગુરૂવારની વહેલી સવારે ૩ વાગે અમેરીકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા. આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિધ્ધાર્થની, મનિષા અને ભાઉની કોઈ ભુમીકા […]

Continue Reading

ભાજપમાંથી વય મર્યાદા નાબૂદ કરતા અડવાણી અને મુરલી મનોહર ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. તેથી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને એવા અન્ય વયોવૃદ્ધ નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. શુક્રવારે રાત્રે ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં વયનું કોઇ માપદંડ નક્કી કર્યા વિના ચૂંટણી જીતી શકનારા નેતાઓને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. […]

Continue Reading

દરેક ગરીબ વ્યકિતને આવકની અમારી ગેરેંટી : રાહુલ

ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગાંધીનગરમાં પ્રચંડ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉપર મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, આ હુમલાના જવાબદાર ત્રાસવાદી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ ભાજપની સરકારે મસુદ અઝહરને છોડી મુક્યો […]

Continue Reading

હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે : લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે. આ પ્રસંગે સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના પ્રહાર કર્યા છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર […]

Continue Reading

હાર્દિક એ પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી – નીતિન પટેલ

પાટીદારોને અનામત અપાવવા આંદોલન કરનારા પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિકને ખેસ પહેરાવી કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી. ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો છે. ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઊભો કરી ગુજરાતની શાંતિ-સલામતીને ડહોળી. પોતાની જાતને […]

Continue Reading

આચારસંહિતા અમલી થતા 8 હજારથી વધુ બેનર-પોસ્ટર-ઝંડા ઉતારી લેવાયા

લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બની જતાં જ મેયર સહિતનાં હોદ્દેદારોની ૧૭ જેટલી મોટરકાર મ્યુનિ.માં જમા કરાવી દેવામાં આવી હતી. તો બીજી બાજુ રાજકીયપક્ષોનાં બેનર-પોસ્ટર વગેરે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા મુજબ, સ્થાનિક સ્વરાજની સંસ્થાનાં હોદ્દેદારો મોટરકારનો નિયમ મુજબ ઉપયોગ કરી […]

Continue Reading

સુરતમાં આચારસંહિતાના અમલ માટે શહેર-જિલ્લામાં 48 ફ્લાઈંગ સ્ક્વોડ મેદાનમાં ઉતારાઈ

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની જાહેરાત સાથે જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ૪૮ ફલાઇંગ સ્કવોડને તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે સુરત કલેકટરાલય ખાતે લોકસભા ચુંટણી સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાતાઓ મુકત અને ન્યાયી માહોલ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને […]

Continue Reading

કોંગ્રેસને ચૂંટણી સમયે સરદાર અને ગાંધીજી યાદ આવ્યા : CWC બેઠકને લઇને અમદાવાદમાં તૈયારીને આખરી ઓપ

રવિવારે લોકસભા ચુંટણી 2019ની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ 26 બેઠકો માટે મતદાન થશે. ચુંટણીને લઇને કોંગ્રેસમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે હાલ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સારી નથી. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. ત્યારે અમદાવાદમાં 12 માર્ચના રોજ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા […]

Continue Reading

કુંભમેળાની ફોટો ર્સ્પધામાં સુરતના ફોટોગ્રાફરને પ્રથમ નંબર

ઉત્તર પ્રદેશમાં યોજાયેલા કુંભમેળા દરમ્યાન યોજાયેલી ફોટોગ્રાફી ર્સ્પધામાં સુરતના એક ફોટોગ્રાફરની તસ્વીરને પ્રથમ નંબર મળ્યો છે અને આ ફોટા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક લાખ રૂપિયાનું ઇનામ આપશે.સુરતના આર્કિટેકટનો વ્યવસ્યા કરતા યુવકે પ્રયાગરાજમાં એક જ સ્થળે અને એક જ સમયે 1008 કુંડી યજ્ઞની તૈયારીનો ફોટો પાડયો હતો જે આંતરરાષ્ટ્રી ફોટોગ્રાફરો વચ્ચેની ર્સ્પધામાં પ્રથમ ક્રમ મેળવી […]

Continue Reading

આજે રાહુલ ગાંધી અમદાવાદમાં મોદી સરકાર સામે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૨મી માર્ચ-દાંડીયાત્રાના દિવસે અમદાવાદ નજીકના અડાલજના ત્રિમંદિર ખાતેથી જનસંકલ્પ રેલી દ્વારા સત્તાવાર રીતે મોદી સરકાર સામે લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે. કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ હાજર રહેવાના […]

Continue Reading