15મી ઓગસ્ટે જમ્મુમાં ત્રિરંગો લહેરાશે, રાજ્યની પંચાયતોને કેન્દ્રીય મંત્રીની સલાહ

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની હટાવી ભારત સાથે જોડવાના કેન્દ્રના નિર્ણય પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરની તમામ ગ્રામ પંચાયતોને 15મી ઓગસ્ટના રોજ ત્રિરંગો ફરકાવવાની સલાહ આપી છે. રેડ્ડીએ આ નિવેદન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. બીજી તરફ પૂરી સંભાવનાઓ છે કે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્ના જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાના […]

Continue Reading

J&K: જમ્મુમાંથી 144 હટાવાઈ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. હવે ત્યાં સ્થિતી સામાન્ય બની રહી છે. હવે જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. જો કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત છે. જમ્મુના ડેપ્યૂટી મેજિસ્ટ્રેટ સુષ્મા ચૌહાન પ્રમાણે કલમ 144ને જમ્મુ નગરની હદમાંથી […]

Continue Reading

માનસિક સંતુલન ગુમાવી ચુકેલા પાકિસ્તાને લીધો વધુ એક ભારત વિરોધી નિર્ણય

જમ્મુ-કાશ્મીરને લઇને ભારત તરફથી કરવામાં આવેલા નિર્ણય પછી પાકિસ્તાને પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને સતત એક પછી એક ભારત વિરોધી નિર્ણય કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પાકિસ્તાન-ભારત બસ સેવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે લાહોરથી નવી દિલ્હી વચ્ચે ચાલનારી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા […]

Continue Reading

કાશ્મીર મામલે પાકિસ્તાન હવે શું કરી શકે તેમ છે?

હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે. 5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું. આ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો […]

Continue Reading

ભારત સાથેના વેપારી સંબંધો તોડીને પાક.ને રૂા. 3.6 લાખ અબજનું નુકસાન

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. ભારતીય વાણિજય મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2018-19માં ભારતે પાકિસ્તાનને કુલ 2.3 અબજ રૂપિયાની નિકાસ કરી હતી. જ્યારે ભારતે પાકિસ્તાન પાસેથી કુલ 3.6 લાખ અબજ રૂપિયાની આયાત કરી હતી. સરળ શબ્દોમાં કહીેએ તો છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતની સરખામણીમાં પાકિસ્તાને આપણને […]

Continue Reading

70 ઇફેક્ટ: UP-બિહારનાં લોકો કાશ્મીરમાંથી પલાયન થવા માટે મજબૂર, જમ્મુ રેલવે સ્ટેશન પર ટ્રાફિકજામ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જા આપતી કલમ 370 રદ્દ કરાયા પછી રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સરકારનાં નિર્ણયની પ્રતિક્રિયા સ્વરૂપે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘણા વિસ્તારમાં કફર્યુ લગાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય પ્રશાસનની […]

Continue Reading

પાકિસ્તાન સ્થિત ભારતના હાઇકમિશ્નર ભારત આવવા રવાના

પાકિસ્તાને ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અજય બિસારિયા ઈસ્લામાબાદથી લાહૌર રવાના શઇ ચૂક્યા છે. તેઓ વાઘા અટારી બોર્ડર પરથી ભારત આવશે. પાકિસ્તાન સરકારે બુધવારે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય અને દ્વિપક્ષીય સંબંધોમાં રોકવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ બેઠક બાદ કહ્યું કે, અમારા રાજદૂત […]

Continue Reading

કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રહેશે : પાક વિદેશ પ્રધાન

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના અધિકારને નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન એક પછી એક અંધાધૂંધ નિર્ણયો દ્વારા ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યું છે. તણાવની પરિસ્થિતિમાં ભારત માટે રાહતના સમાચાર એ છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનું કામ ચાલુ રાખશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું […]

Continue Reading

પાકિસ્તાની ડ્રાઈવરે સમજૌતા એક્સપ્રેસ ચલાવવા ના પાડી તો ભારતે એન્જિન-ડ્રાઈવર મોકલ્યા, ટ્રેન પાછી લાવ્યા

સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. પાકિસ્તાનના રેલવે ક્રૂ અને ગાર્ડે ભારત આવવાનો ઈનકાર કરતા સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનમાં રોકી દેવામાં આવી હતી. બાદમાં ભારતે ટ્રેનના એન્જિન સાથે રેલવે ક્રૂ અને ગાર્ડ મોકલ્યા હતા. આ ટ્રેનમાં 110થી વધારે મુસાફરો હતા. પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી બુધવારે ભારત સાથે […]

Continue Reading

પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત કરાયા, નાનાજી અને ભૂપેન હઝારીકાને મરણોપરાંત આ સન્માન મળ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખ વતી આ સન્માન સ્વીકાર્યુ છે. ભૂપેન હઝારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મુખર્જી આ સર્વોચ્ચ નાગરિક […]

Continue Reading