PM મોદી અને ઇમરાન ખાનની મુલાકાત નહી થાય: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષીય વાતચીતની ખબરને ફગાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી નથી. આ પહેલા તેવી અટકળો હતી કે, SCO શિખર સમ્મેલન સિવાય વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ […]

Continue Reading

એટીએમમાંથી પૈસા કાઢવા પર લાગતો ચાર્જ ખતમ કરાશે?

રિઝર્વ બેન્ક એટીએમમાંથી પૈસા કાઢવા માટે થતા ચાર્જને લઈને મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. જેના ભાગરૂપે એટીએમ ચાર્જને જ ખતમ કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. હાલમાં અન્ય બેંકના એટીએમમાં અમુકથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર અલગ અલગ ચાર્જ બેંકો લગાડે છે. આ ચાર્જની સમીક્ષા કરવા માટે RBI દ્વારા આ માટે એક કમિટી બનાવવામાં આવી […]

Continue Reading

કેપ્ટન અમરિંદર સિંહે નવજોતસિંહ સિદ્ધૂનું મંત્રાલય બદલ્યું, આપ્યું ઉર્જા મંત્રાલય

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. આ વિખવાદ વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને હવે ઉર્જા મંત્રાલય સોંપી દીધું છે. પહેલા સિદ્ધૂ પાસે શહેરી વિકાસ અને પર્યટન મંત્રાલય હતું. આ અગાઉ એકતરફ લોકસભાની ચૂંટણીમાં હારની […]

Continue Reading

માઉન્ટ આબુમાં ભૂકંપને પગલે પ્રવાસીઓ હોટલો છોડી રસ્તા પર ઉતર્યા

પાલનપુર/ માઉન્ટ આબુ: ઉત્તર ગુજરાતની પડખે આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુથી લઇ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બુધવારે રાત્રીના 10:31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 4.8 તીવ્રતાના ભૂકંપના આંચકાથી પ્રવાસીઓ હોટલો છોડીને બહાર નીકળી ગયા હતા. જ્યારે ત્યાંની ઈમારતોની દીવાલોમાં તિરાડ પડી હતી. ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું […]

Continue Reading

નીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય

ગુરુવારે પીએમ મોદીએ નીતિ આયોગની પૂનઃરચનાને મંજૂરી આપી દીધી છે. જેમાં કેટલાક નવા સભ્યો સામેલ થઈ ગયા છે. પીએમ મોદી નીતિ આયોગની અધ્યક્ષતા કરશે અને રાજીવ કુમાર ઉપાધ્યક્ષ તરીકે પોતાના પદ પર બન્યા રહેશે. નીતિ આયોગના અન્ય સભ્યોમાં વીકે સારસ્વત, રમેશ ચંદ અને ડૉ. વીકે પૉલનું નામ સામેલ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં નીતિ આયોગની સંચાલન […]

Continue Reading

સુદાન સંકટઃ વિપક્ષે દેશની સૈન્ય પરિષદનો વાતચીતનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

6 એપ્રિલથી પ્રદર્શનકારીઓ સેનાના હેડ ક્વાર્ટરની સામે પ્રદર્શન કરી રહ્યા છે. 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ સેનાએ રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરનો તખ્તો પલટી તેમને પદથી દૂર કર્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારીઓ સેના સાથે સમજૂતીનીની કોશિશ રહ્યા છે કે હવે સુદાનમાં કોની સરકાર હશે. એક સમજૂતી એ પણ કરવામાં આવી હતી કે ત્રણ વર્ષ બાદ સુદાનમાં ચૂંટણી […]

Continue Reading

અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે

વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે થઈ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં […]

Continue Reading

કોંગ્રેસે મોદી સરકાર માટે કરી મોટી ટ્વિટ, કહ્યું નવી સરકારની સાથે મળી કામ કરવા તૈયાર

ગુરૂવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નવા મંત્રીમંડળની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લઇ રહ્યા હતા. આ અવસર પર વિપક્ષ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ટ્વિટર પર તેમની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી દીધી. કોંગ્રેસે શુભેચ્છા પાઠવતા આ ટ્વીટમાં એમ પણ લખ્યું કે તેઓ ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસમાં નવી સરકારની સાથે મળીને […]

Continue Reading

શોપિયામાં એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે સુરક્ષાબળની અથડામણ ચાલુ છે. CRPF અને પોલીસ મળીને આતંકીઓ સામે ચલાવી રહેલા આ ઓપરેશનમાં એક આતંકીને ઠાર માર્યો છે. હાલ પણ અહીં ઓપરેશન ચાલુ છે. આ પહેલા ગુરુવારે પણ બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળોની અથડામણ થઈ હતી. ડાંગેર પોલા વિસ્તારમાં બુનપોરામાં સુરક્ષાબળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જેના […]

Continue Reading

ગુજરાતના 1000થી વધુ ભાજપના નેતાઓ દિલ્હી જશે

આવતીકાલે 30મી જૂને સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદ તરીકેની શપથ લેવા જઈ રહ્યાં છે. ત્યારે દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે ગુજરાતમાંથી એક હજાર જેટલા ભાજપના આગેવાનો, મોટા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો આજે સવારથી દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ […]

Continue Reading