2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી: હિલેરી ક્લિન્ટન

હિલેરી ક્લિન્ટલ સૌપ્રથમ વાર 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી ક્લિન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’ નોંધનીય છે કે હિલેરી ક્લિન્ટે 2016માં યુએસની રાષ્ટ્રપતિની […]

Continue Reading

પાક.ના મંત્રીનો બફાટ, હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ કહ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વર્તમાન તંગદીલીમાં પાકિસ્તાનના પંજાબના માહિતી અને સાંસ્કૃતિમ મંત્રી ફૈયા ઉલ હસન ચૌહાને પાક.માં રહેતા લઘુમતિ હિન્દુ સમાજ પર જાતિવાદી ટિપ્પણી કરતા વિવાદ ઉઠ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મંત્રી ફૈયાઝે એક પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ ગણાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘તમે ગાયનું મૂત્ર […]

Continue Reading

રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું

પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકત ભારતીય વાયુદળના રડારે શોધી લીધી હતી અને તેને પગલે સક્રિયતા વધારી દેવાઇ હતી. સુખોઇ-૩૦ એમકેઆઇએ બીકાનેરના નાલ વિસ્તારમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું છે. આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશતા જ ભારતીય સુખોઇનો શિકાર બની ગયું હતું. તેના […]

Continue Reading

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો

અમેરિકાના અલબામા અને જ્યોર્જિયામાં ભયંકર વંટોળ ઉઠયો હતો. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. કેટલાક ઘર તબાહ થઈ ગયા હતા અને કેટલાય મોબાઈલ હોમ્સ ભાંગીને ભૂક્કો થયાં હતા. અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો હતો. જેમાં ૨૩ લોકોના મોત થયા અને ૧૫ જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ હતી. […]

Continue Reading

AMTS, BRTS અને મેટ્રો – ત્રણેય ટ્રાન્સપોર્ટેશન ધરાવતું અમદાવાદ એકમાત્ર શહેર

આખરે શહેરમાં મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ-1માં ઇસ્ટ વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાને ઉમંગ સ્કૂલના બહેરા મુંગા બાળકો સાથે  ટ્રેનની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાને કરેલા લોકાર્પણ બાદ બુધવારથી આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. […]

Continue Reading

એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા ૨૫૦ આતંકી – અમિત શાહ (કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ)

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા? આ સવાલ પર હવે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ અલગ અલગ આંકડાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. અમદાવાદના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, ‘પુલવામાં હુમલા બાદ […]

Continue Reading

આતંકીઓનો સફાયો કરવા ગયા હતા કે ઝાડનો – સિદ્ધુ

6 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ઝીંક્યા હતા. હવે આ એર સ્ટ્રાઇક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા મામલે કોંગ્રસના નેતા નવજોત સિંહે સિદ્ધુએ સવાલ ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 300 આતંકીઓ મર્યા છે કે નહીં? જો નહી તો આનો અર્થ […]

Continue Reading

ISIનો ખતરનાક પ્લાન : સુરક્ષા દળોના રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન જેથી જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ

આતંકી સંગઠનોની મદદ માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું એક ખતરનાક ષડ્યંત્ર સામે આવ્યું છે. પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સુરક્ષા દળોને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પ્લાન બનાવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોનાં રેશન સ્ટોકમાં ઝેર ભેળવવાનો ખતરનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઝેર ભેળવવા માટે પાકિસ્તાનની આઈએસઆઈ કાશ્મીરમાં […]

Continue Reading

કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવવાનો આનંદ મેળવી રહ્યા છે.

દુનિયાના સૌથી અનોખા અને મોટા આધ્યાત્મિક પર્વ કુંભમાં આજે મહાશિવરાત્રીનું અંતિમ સ્નાન છે, તેની સાથે ૪૯ દિવસ સુધી ચાલનાર મેળો પૂરો થઈ જશે. રાત્રે ૧૨.૦૦ વાગતાં જ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. સોમવારે કુંભમેળામાં ૮૦ લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના સ્નાન માટે ૪૧ ઘાટ પર વ્યવસ્થા કરવામાં […]

Continue Reading

મહાશિવરાત્રિની PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામનાઓ આપી

આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના શુભ અવસરે શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. લોકો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાવન પર્વની શુભકામનાઓ આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ, મહાશિવરાત્રિના પાવન અવસરે પર તમામ દેશવાસીઓને ઘણી શુભકામનાઓ. ॐ […]

Continue Reading