રાજસ્થાન: કોટા હોસ્પિટલમાં ચિકિત્સક-ઉપકરણોના અભાવે બે દિવસમાં 10 નવજાત શિશુઓના મોત

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર નવા વર્ષમાં તીન તલાક પીડિતાઓની સાથે-સાથે અન્ય ધર્મની ત્યજી દીધેલી મહિલાઓને વાર્ષિક 6000 રુપિયા પેન્શન તરીકે આપવાની તૈયારી કરી રહી છે. જાણકારી મુજબ યોગી સરકાર જાન્યુઆરીમાં થનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મામલે સમાજ કલ્યાણ વિભાગે માળખુ પણ તૈયાર કરી લીધુ છે.  આ સિવાય સરકાર દ્વારા રાજ્યમાંથી […]

Continue Reading

ચિદમ્બરમે કહ્યું- સેના પ્રમુખનું સરકારને સમર્થન આપવું શરમજનક, નેતાઓને શું કરવું તે શીખવવાની જરૂર નથી

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સામેલ થવા અંગે સેના પ્રમુખ બિપિન રાવતના નિવેદન પર પ્રહાર કર્યા હતા. શનિવારે તેમણે તિરુવનંતપુરમના કાર્યક્રમમાં કહ્યું કે, સેના પ્રમુખનું સરકારને સમર્થન આપવું શરમજનક વાત છે. જેમ અમે સેનાએ કેવી રીતે યુદ્ધ લડવું તે વિશે નથી કહી શકતા તે રીતે નેતાઓએ શું કરવું […]

Continue Reading

પોલીસે પ્રિયંકા ગાંધીને રોક્યાં, કોંગ્રેસ મહાસચિવનો આરોપ- મહિલા પોલીસકર્મીએ ધક્કો માર્યો અને ગળુ દબાવ્યું

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી શનિવારે લખનૌમાં CAA વિરુદ્ધ પ્રદર્શન કરવા પર ધરપકડ પામેલા બે પૂર્વ IPS અધિકારીઓને મળવા પહોંચી હતી. પ્રિયંકાનો આરોપ છે કે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારીએ મને ધક્કો દઇને પાડી દીધી અે મારુ ગળુ દબાવ્યું. આ પહેલા પ્રિયંકાએ કોંગ્રેસના 135મા સ્થાપના […]

Continue Reading

NRC-NPR ગરીબો પર ટેક્સ સમાન છે : રાહુલ ગાંધી

નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે, આ નાગરિકતા ટેક્સ છે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે. છત્તીસગઢમાં […]

Continue Reading

રાહુલે કહ્યુ કે RSSના PM મોદી જુઠ્ઠાણુ ચલાવે છે, ભાજપે આપ્યો જવાબ

નાગરિકતા બિલના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યુ છે કે, આરએસએસના વડાપ્રધાન ભારતમાતા સાથે જુઠ્ઠુ બોલે છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનના સમર્થનમાં આસામમાં ડિેટેન્શન સેન્ટર સાથે જોડાયેલો એક વિડિયો રજૂ કર્યો છે. જેમાં સેન્ટરનુ બાંધકામ થતુ નજરે પડે છે. તેની સાથે રાહુલે પીએમ મોદીનુ એ ભાષણ ટ્વિટ કર્યુ […]

Continue Reading

દિલ્હીની ટુકડે-ટુકડે ગેંગને જવાબ આપવાનો સમય આવી ગયો છે: શાહ

ઝારખંડ વિધાનસભા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી તરફ સૌ કોઇની નજર છે. સુત્રો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગમે ત્યારે તારીખ જાહેર થઇ શકે છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ દિલ્હીના કડકડડૂમામાં ડીડીડી ઇસ્ટ દિલ્હી હબનું ઉદ્ધાટન પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અને કોંગ્રેસ […]

Continue Reading

દેશમાથી જયા સુધી નાગરિકતા કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ ભાજપને આગ સાથે ના રમવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ જ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ શહેરમા આયોજિત પ્રદર્શન રેલીમા ભાજપ પર વાયદો પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે મંગલુરમા સીએએ વિરુદ્ધ પ્રદશનમા પોલીસ ગોળીબારમા માર્યા […]

Continue Reading

ઝારખંડમાં કોંગ્રેસને લાગશે લોટરી, સ્પીકર સાથે 5 ધારાસભ્યોને મળશે મંત્રીપદ

ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચુક્યા છે. ત્યારે હવે જેએએમ, કોંગ્રેસના મહાગઠબંધને સરકાર રચવાની કવાયત શરૂ કરી છે અને આગામી 27 ડિસેમ્બરે જેએમએમના નેતા હેમંત સોરેન રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરી શકે છે. ચૂંટણી પરિણામોમાં જેએમએમ 30 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસના હીરો રહેલા હેમંત સોરેન […]

Continue Reading

ઉદ્ધવ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 30 ડિસેમ્બરે, અજિત પવાર ઉપમુખ્યમંત્રી બને તેવી શક્યતા: રિપોર્ટ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનું પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ 30 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, એક એનસીપી નેતાએ જણાવ્યું કે, આ મંત્રીમંડળના વિસ્તરણમાં અજીત પવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. 29 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 2-2 નેતાઓએ શપથ લીધા હતા. અંદાજે 15 દિવસ પછી […]

Continue Reading

કેજરીવાલનો મોદીને ટોણો, કહ્યું-રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના પાંચ વર્ષોના કાર્યકાળનો અહેવાલ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી બાદ સૌથી ઈમાનદાર સરકાર છે. રામલીલા મેદાન પરથી વાત કરવી સરળ છે, પણ કામ કરવું મુશ્કેલ છે. અમારા કેસમાં સૌથી સારી વાત એ જ છે કે અમારી ઈમાનદારીનું પ્રમાણ અમને વિપક્ષીઓએ જ આપ્યું છે. દિલ્હીમાં ક્યાંય […]

Continue Reading