હવે અતિથિ શિક્ષકો 60 વર્ષ સુધી ભણાવી શકશે

દિલ્હીમાં અતિથિ શિક્ષક હવે 60 વર્ષ સુધીની ઉંમર સુધી ભણાવી શકશે. દિલ્હી સરકારે તેની મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગેની નવી નીતિને મંજૂરી આપી દીધી છે. લેફટનન્ટ ગવર્નર તરફથી સહમતિ મળ્યા બાદ તમામ અતિથિ શિક્ષકો હવે નિયમિત શિક્ષકોની ઉંમર સુધી કામ કરી શકશે. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે નવી નીતિથી વર્તમાનમાં કાર્યરત તમામ અતિથિ શિક્ષકોને […]

Continue Reading

રાફેલ ફાઈલોની ચોરી અંગે વડાપ્રધાન સામે કાર્યવાહી કરોઃ રાહુલ આક્રમક

પ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રાફેલ સોદાની ફાઈલો ગૂમ થઈ ગયાનો એકરાર કર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી આ મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને ભીસમાં લેવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સોદાની બાયપાસ સર્જરી કરી નાખી છે તેથી હવે તેમને બચાવવા માટે આખી […]

Continue Reading

શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ સ્વીકારી

લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે આંદોલન કરીને સચિવાલયનો ઘેરાવ કરનારા શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. શિક્ષકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જોકે તેના કારણે થનારા પગારવધારાના એરિયર્સના લાભો રોકડ સ્વરૂપે નહીં ચૂકવાય તેવો નિર્ણય […]

Continue Reading

રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે.

આજે સુપ્રીમમાં રાફેલ મામલે સુનાવણી થઇ, રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે. પરિણામે તેની આતંરિક તપાસ ચાલુ છે એમ એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતુ. ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફે મામલાની સુનાવણી કરતી વખતે આ બાબત અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જો રાફેલ અંગેના પુરાવા મજબુત છે અને આ બાબતે ભ્રષ્ટ્રાચાર […]

Continue Reading

IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. […]

Continue Reading

સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે: રુચિર શર્મા

રુચિર શર્મા દુનિયાના 50 પ્રભાવશાળી લોકો પૈકીના એક છે. ફોરેન પોલિસી મેગેઝિને તેમને 100 ગ્લોબલ થિંકર્સમાં સામેલ કર્યા હતા. તેઓ દુનિયાભરમાં ફરીને રોકાણ અંગેનાં પુસ્તકો લખી ચૂક્યા છે. ભારતમાં તેમણે મિત્રો સાથે 25 વર્ષમાં 27 અંગત ચૂંટણીયાત્રા કરી છે. હાલની વિધાનસભા ચૂંટણીઓ પછી તેમનું નવું પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’ પ્રકાશિત થયું હતું. ભાસ્કરના અવનીશ જૈને […]

Continue Reading

પાક.ને ફટકો: USએ પાક નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા ઘટાડી

અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ફટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મંચ પર આતંકવાદને લઈને નિંદાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે કોઈ […]

Continue Reading

‘આપ’ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન ફાઈનલ

સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને દિલ્હીમાં ત્રણ-ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે એક બેઠક અન્ય માટે છોડી દેવામાં આવશે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં સાતે-સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ […]

Continue Reading

કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ઓછી થાય એવા સમાચાર આવ્યાં છે. કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે. એ પછી ભારતીય પ્રતિનિધિ મંડળ પણ 28 માર્ચે ઇસ્લામાબાદ જશે. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી અને આ નિર્ણયની […]

Continue Reading

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.આમ લોકસભાની ચૂંટણીની પહેલાં કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. વર્ષ ૧૯૯૫માં ગૌચરની જમીનમાંથી ખનિજ ચોરીના મુદ્દે ભગવાન બારડ વિરુધ્ધ […]

Continue Reading