પ્રિયંકા ગાંધીનું વ્હોટ્સ એપ પણ હેક થયું હતું: કોંગ્રેસ

કોંગ્રેસે દાવો કર્યો છે કે, પાર્ટીના સિનિયર નેતા પ્રિયંકા ગાંધીને વ્હોટ્સ એપથી મેસેજ મળ્યો હતો કે, તેમનો ફોન હેક થવાની આશંકા છે. જો કે આ મેસેજ તેમને ક્યારે મળ્યો તે કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રફુલ પટેલ અને મમતા બેનર્જીને મળેલા મેસેજ વિશે પુછતા તેમણે જણાવ્યું કે, હું તમને કહેવા માંગું છું […]

Continue Reading

સંજય રાઉતે NCP નેતા અજીત પવારને મોકલ્યો મેસેજ, સમર્થન માટે મળી રહ્યો છે સંકેત

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના મુદ્દે ભાજપા (BJP)અને શિવસેનામાં (Shiv Sena)ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી નેતા અજીત પવારને (Ajit Pawar) શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મેસેજ કર્યો છે. આ વાતની જાણકારી આપતા અજીત પવારે કહ્યું હતું કે રાઉતનો સંદેશ આવ્યો છે પણ હું એક બેઠકમાં હતો જેથી પ્રતિક્રિયા આપી શક્યો નથી. ચૂંટણી પછી પ્રથમ વખત […]

Continue Reading

કોંગ્રેસે મોદી સરકારને લીધી સાણસામાં, પ્રિયંકાની જાસૂસીને લઈને લગાવ્યા ગંભીર આરોપ

ઈઝરાયેલનાં સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોની જાસૂસીનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે સામસામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસનાં પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના ફોન પણ હૅક કરવામાં આવ્યા હતા. વૉટસએપ દ્વારા એવા લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા જેમના ફોન હૅક કરાયા હતા. […]

Continue Reading

શું હરિયાણામાં પણ થશે મહારાષ્ટ્રવાળી, દુષ્યંત ચૌટાલાના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ

હરિયાણામાં ભલે ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હોય પણ સરકારમાં ડેપ્યુટી સીએમ બનતાની સાથે ચૌટાલાએ પણ હરિયાણામાં શિવસેનાવાળી કરવાના સંકેત આપી દીધા છે. ચૌટાલાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અગાઉની ખટ્ટર સરકારમાં જે પણ કહેવાતા ગોટાળા થયા છે તેની તપાસ થશે.સિસ્ટમ હવે એ રીતે કામ નહી […]

Continue Reading

કોંગ્રેસને ઝાટકો, કર્ણાટક પેટા ચૂંટણી માટે જેડીએસ નહીં કરે જોડાણ

કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારના કડવા અનુભવ બાદ જેડીએસ(જનતા દળ સેક્યુલર)પાર્ટીએ કોંગ્રેસથી કિનારો કરી લીધો છે. જેડીએસના નેતા કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પાર્ટી આગામી પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નહી કરે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.કુમાર સ્વામીએ કહ્યુ હતુ કે, કોઈની સાથે જોડાણ કરવાનો સવાલ ઉભો થતો નથી. પેટાચૂંટણીના પગલે કર્ણાટકમાં […]

Continue Reading

કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની બબાલ પાછળ અમિત શાહ હતા: યેદિયુરપ્પાની ઓડિયો ક્લિપમાં ખુલાસો

કર્ણાટકના ખોરવાયેલા રાજકારણમાં આજકાલ એક ઓડિયો ક્લિપે ભારે વિવાદ ઉભો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની બેઠક દરમિયાન મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ કહી રહ્યા હતા કે, જેડીએસ કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મુંબઇમાં રાખવા પાછળ પાર્ટી પ્રમુખ એટલે કે ગૃહમંત્રી અમિત […]

Continue Reading

સીધૂને કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું છે, મંજૂરી મળ્યા બાદ જશે : નવજોત કૌર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે. પાકિસ્તાને કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધૂ પણ આમંત્રણ મોકલ્યું છે. જેની પુષ્ટી તેમની પત્ની નવજોત કૌર સિધૂએ શનિવારના રોજ કરી હતી. તેમણે કહ્યું હતું કે સિધૂને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ […]

Continue Reading

દિલ્હી હાઈકોર્ટે મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને ઝટકો લાગ્યો છે. પી.ચિદમ્બરમના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કરવામાં આવેલી જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની કસ્ટડીને પડકારીને વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. પી ચિદમ્બરે સ્વાસ્થ્યના આધાર પર જામીન માંગ્યા હતા, જેની પર ગુરુવારે હાઈકોર્ટે મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. આજે મેડિકલ બોર્ડે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અમારો હશે, બહુમતી મેળવી લઈશુંઃ શિવસેના

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મુખ્યમંત્રીની ખુરશીને લઈને બીજેપી અને શિવસેના વચ્ચે વચ્ચે ખેંચતાણ ચાલું છે. એવામાં શિવસેનાએ દાવો કર્યો છે કે, રાજયમાં પોતાની પાર્ટીનો જ મુખ્યમંત્રી હશે અને સરકાર રચવા માટે જરુરી બહુમતી મેળવી લઈશું. શિવસેનાના નેતા સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે શિવસેનાના નેતા સંજય રાઉતે ગત સાંજે […]

Continue Reading

ઝારખંડ ચૂંટણી 2019 : ઝારખંડમાં 30 નવેમ્બરે પાંચ ચરણમાં યોજાશે ચૂંટણી,23 ડિસેમ્બરના રોજ આવશે પરિણામ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બ્યુગલ વાગી ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોડાએ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં પહેલા ચરણનુ મતદાન 30 નવેમ્બરના રોજ,બીજા ચરણનું મતદાન 7 ડિસેમ્બરના રોજ, ત્રીજા ચરણનું મતદાન 12 ડિસેમ્બરે, ચોથા ચરણનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમા ચરણનું મતદાન 20 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીના પરિણામ 23મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. […]

Continue Reading