મોદી સરકારે RTI કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો, સરકાર જનતા પ્રત્યેની જવાબદારીથી ભાગે છે : સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ બહાર ન રહે. આવું કરીને સરકાર જનતા પ્રત્યે તેની જવાબદારીથી બચવા માગે છે. સોનિયાએ કહ્યું, “બીજેપી સરકારે […]

Continue Reading

શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે એકનાથ શિંદે ચૂંટાયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહનો સમય થઇ ગયો છે પરંતુ હજુ મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ ચાલું છે. ભાજપ અને શિવસેનાની વચ્ચે હજુ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા પર મામલો અટક્યો છે. આ દરમિયાન શિવસેના વિધાનસભા પક્ષની બેઠકમાં એકનાથ શિંદેને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. શિંદેના નામ માટે આદિત્ય ઠાકરેએ જ પ્રસ્તાવ રાખ્યો હતો, જેના નામ […]

Continue Reading

શિવસેના સાથે ખેંચતાણ પછી ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, ફડણવીસ નેતા ચૂંટાય તેવી શક્યતા

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અઢી વર્ષ માટે તેમના મુખ્યમંત્રી બનાવવાની વાત પર અડગ છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે, 5 વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક થવાની છે. તેમાં ફડણવીસ ફરી ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા છે. […]

Continue Reading

આતંકવાદ / કાશ્મીરમાં આતંકીઓનો કહેરઃ પશ્ચિમ બંગાળથી આવેલા 5 મજૂરોની કરી હત્યા, મમતાએ વ્યક્ત કર્યો શોક

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજદૂર પર ગોળીબારી કરી, આ ફાયરિંગમાં પાંચ મજદૂરના ઘટનાસ્થળ પર મોત નિપજ્યાં હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના સાગરદિથી પોલીસ ચોકીના બોખારા બાહલનગર ગામના રહેનારા આ મજૂદરોનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી. એક મહિના પહેલા ગયા હતા કાશ્મીર આ બધા મજદૂર એક મહિના પહેલા કામ કરવા માટે કાશ્મીર પહોંચ્યાં […]

Continue Reading

કાશ્મીરની મુલાકાત આંતરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ કેમ લઈ રહ્યું છે?

યુરોપિયન સંઘના સાંસદોનું એક 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લેશે. યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, “આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે […]

Continue Reading

ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ઠાકોરસેના કેમ જિતાડી ન શકી?

ગત અઠવાડિયે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો પરાજય થયો. જેઓ ભાજપના નેતાની સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન પણ છે. ઠાકોરસેના અને ભાજપના સંગઠનનું પીઠબળ હોવા છતાં રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરના પરાજયે ભલભલાને ચોંકાવી દીધા હતા. ઠાકોરસેના અને ભાજપે પૂરું જોર લગાવી દીધું, એ છતાં પણ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કયાં પરિબળોએ ભાગ […]

Continue Reading

રાહુલનો મોદી સરકારને સવાલ: કાશ્મીરમાં યુરોપના સાંસદોનું સ્વાગત, દેશના નેતાઓ પર પ્રતિબંધ શા માટે?

યુરોપિયન યુનિયન સંસદના 27 સાંસદ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. ત્યારે યુરોપિયન યુનિયનના સાસંદોની કાશ્મીર મુલાકાતને લઈ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રાયસ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કાશ્મીર મુલાકાત માટે યુરોપિયન યુનિયનના સાંસદોનું સ્વાગત થઈ રહ્યું છે. પરંતુ અમારા જવા પર પ્રતિબંધ છે. મહત્વનું છે કે સોમવારે દિલ્હીમાં આ સાંસદોએ પીએમ […]

Continue Reading

રિયાધ પહોંચ્યાં PM મોદી, સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે. પોતાની આ યાત્રા સમયે પીએમ મોદી સાઉદીના ક્રાઉમ […]

Continue Reading

જેલમાં બંધ પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઇલાજ માટે એઇમ્સ લઈ જવાયા

આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. ચિદમ્બરમની તબિયત બગડવાને કારણે એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચિદમ્બરમ પ્રવર્તન નિદેશાલયના રિમાન્ડમાં તિહાર જેલમાં બંધ હતા. મળેલી માહિતી મુજબ, ચિદમ્બરમને જેલમાં પેટની તકલીફ હતી. ત્યારબાદ સોમવારે સવારે અધિકારી તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાજે તેમને […]

Continue Reading

શિવસેનાની ભાજપને ચેતવણી – સરકાર બનાવવા માટે વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે

શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી ભાજપાને ચેતાવણી આપી છે. રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપા તેમને વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે. રાઉતે કહ્યું છે કે રાજનીતિમાં કોઇ સંત હોતું નથી. મહારાષ્ટ્રમાં હમણાં થયેલા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપાને 105 અને શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધનમાં બંનેએ બહુમત સાથે 145 […]

Continue Reading