છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ ચરણનું મતદાન શરૂ

સવારે 9 વાગ્યુ સુધી ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર 10 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. આ સિવાય બાગવતમાં 11 ટકા, જમુઈમાં 6 ટકા, ઔરંગાબાદમાં 7 ટકા, સહારનપુરમાં 8 ટકા, ટિહરી ગઢવાલમાં 9 ટકા મતદાન થયુ છે. ઉત્તરપ્રદેશની 8 લોકસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન થઈ રહ્યુ છે. આ તમામ બેઠક પશ્ચિમી ઉત્તર પ્રદેશના અંતર્ગત આવે […]

Continue Reading

આજે લોકશાહીનો મહાપર્વ શરૂ થયો છે : રાહુલની મતદારોને અપીલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને આજે દેશના આત્મા અને ભવિષ્ય માટે મતદાન કરવાની દેશવાસીઓને અપીલ કરી છે. સત્તામાં આવતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ મતદારો યાદ કરાવ્યું કે દેશના યુવાનોને રોજગારી અને બેન્ક ખાતામાં 15 લાખ આપવાને બદલે મોદી સરકારે બેરોજગારી, અવિશ્વાસ, હિંસા, નફરત અને ડર આપ્યા છે. ‘મતદારો આજે […]

Continue Reading

મોદીને વોટ મતલબ પાકિસ્તાનને વોટ: ઇમરાન ખાનના નિવેદન બાદ કોંગ્રેસના પ્રહાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના એક નિવેદનને લઇને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો અને આરોપ મૂક્યો કે પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે એટલા માટે આ ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો મતલબ પાકિસ્તાનને વોટ આપ્યો ગણાશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી […]

Continue Reading

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી બુધવારે ભાજપમાં જોડાશે

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં અલ્પેશ ઠાકોર સાથે તેમના પ્રખર ટેકેદાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. અલ્પેશ ઠાકોર બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાયે સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલાં અલ્પેશ ઠાકોર […]

Continue Reading

મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

દસમા અને બારમા ધોરણની પરીક્ષાના એક્ઝામિનર, મૉડરેટરોના માથે પરીક્ષાનું કામ હોવા છતાં ૨૯ માર્ચે મુંબઈમાં થનારી લોકસભા ચૂંટણીના કામનો વધારાનો ભાર પણ આપ્યો હોવાથી તેઓ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા હોવાનું તેમનું કહેવું છે. તેમ જ ચૂંટણીના કામમાં વ્યસ્ત થવાથી એના પરિણામે દસમા અને બારમા ધોરણનાં પરીક્ષા પરિણામ મોડાં જાહેર થાય એેવી પણ શક્યતા છે. […]

Continue Reading

ઠેકાણે પાડી દેવાની ધમકી આપનારા MLA મધુ શ્રીવાસ્તવ મુશ્કેલીમાં

લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને તમે મત નહીં આપો તો તમને ઠેકાણે પાડી દઈશ મતદારોને આ પ્રકારની ધમકી જાહેરમાં આપનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણકે આવી ધમકી આપવા બદલ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે તેમજ ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે. હવે બધાની નજર મધુ શ્રીવાસ્તવ ચૂંટણીપંચને કેવો જવાબ […]

Continue Reading

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીઓને ‘હરામજાદા’ કહ્યા, ચૂંટણીપંચ ફરી ચૂપ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હવે તો હદ વટાવી દેતાં સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે ‘હરામજાદાઓ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં વાઘાણીએ ફરી બેફામ વાણીવિલાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ક્લેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો […]

Continue Reading

BJPનો ચૂંટણી ઢંઢેરોઃ હવે દરેક ખેડૂતોને મળશે 6000, પેન્શનની પણ જાહેરાત

લોકસભા ચૂંટણી 2019ની લડાઇ જીતવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનુ વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કર્યુ છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રને ‘સંકલ્પિત ભારત, સશસ્કત ભારત’ ટાઇટલ આપ્યુ છે. બીજેપીનું સંકલ્પ પત્ર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જનતા સામે રજૂ કર્યુ, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી પણ સાથે હતા. અમિત શાહે કહ્યું કે, અમે 6 […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં છે.

ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભાની ગાંધીનગર બેઠક માટે હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ બેઠક પર છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991થી આ બેઠક […]

Continue Reading